Lok Sabha Election 2024 : કેરળ-તમિલનાડુમાં બીજેપીને ફરીથી ઝીરો? ઓપિનિયન પોલમાં મોટો ખૂલાસો
બીજેપી દક્ષિણના સૌથી શિક્ષિત રાજ્ય કેરળ અને તમિલનાડુમાં પગપેસારો કરવા માટે સતત વિવાદો ઉભા કરી રહી છે. જો કે બીજેપીની લોકશાહી વિરોધી નીતિઓ છત્તા પણ અહીં તેને કોઈ ફાયદો નથી થઈ રહ્યો.
નરેન્દ્ર મોદી સતત દક્ષિણ ભારતના પ્રવાસ કરી રહ્યા છે. તે કેરળ અને તમિલનાડુની જાહેર સભાઓમાં લોકોને મંદિર-મસ્જિદના નામે ગુમરાહ કરીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે તેમ છત્તા કેરળની જનતા બીજેપીને સ્વીકારે તેવુ લાગતું નથી.

ચૂંટણી પહેલા જ આ બંને રાજ્યોમાં ભાજપને ફટકો પડ્યો છે. આ રાજ્યોમાં બીજેપીનું ખાતું ખુલવાના કોઈ સંજોગો દેખાતા નથી.
એબીપી સી-વોટર સર્વેમાં કેરળમાં ભાજપની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારતીય ગઠબંધન રાજ્યની તમામ 20 લોકસભા બેઠકો પર જીત મેળવતું જણાય છે. એનડીએને રાજ્યમાં એક પણ બેઠક મળવાની આશા નથી.
ટાઈમ્સ નાઉ ETG સર્વે અનુસાર, કોંગ્રેસને 20 બેઠકો ધરાવતા કેરળમાં 8 થી 10 બેઠકો મળવાની ધારણા હતી તો બીજેપી ભાજપને 0 થી 1 સીટ મળવાની ધારણા હતી, જ્યારે IUMLને 1 થી 2, CPMને 6 થી 8 અને અન્યને 1 થી 2 બેઠકો મળવાની ધારણા હતી.
એબીપી સી-વોટર સર્વે અનુસાર, તમિલનાડુમાં પણ એનડીએને રાજ્યમાં એક પણ બેઠક મળવાની સંભાવના નથી, ઈન્ડિયા ગઠબંધન તમામ 39 બેઠકો જીતી શકે છે. સર્વેમાં AIADMKને અહીં કોઈ સીટ મળતી જણાતી નથી.
અગાઉ ટાઇમ્સ નાઉ ઇટીજીના સર્વેમાં 39 લોકસભા બેઠકો ધરાવતા તમિલનાડુમાં ભાજપને 2 થી 6 બેઠકો મળવાનો અંદાજ હતો. DMKને 21 થી 22 બેઠકો મળવાની ધારણા હતી, જ્યારે કોંગ્રેસને 5 થી 7 બેઠકો મળતી જોવા મળી હતી. આ સર્વેમાં AIDMKને 1 થી 3 બેઠકો મળવાની ધારણા હતી.












Click it and Unblock the Notifications
