અમેઠીમાં રાહુલ ગાંધીની હાર પર નવજોત સિંહ સિદ્ધુ ફસાયા
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સૌથી મોટો ઉલટફેર અમેઠીના જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની સીટ હારી ચુક્યા છે.
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સૌથી મોટો ઉલટફેર અમેઠીના જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની સીટ હારી ચુક્યા છે. અમેઠીની હોટ સીટ પર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55 હજાર વોટોથી હરાવી દીધા છે. ભાજપા સમર્થકો ઘ્વારા જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. સ્મૃતિ ઇરાનીની જીત પછી ટ્વિટર પર ઘણી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. અમેઠી પર રાહુલ ગાંધીની હાર પછી લોકોએ ટ્વિટર પર નવજોત સિંહ સિદ્ધુને નિશાનો બનાવ્યો છે અને તેમને રાજનીતિ છોડવાનું કહી રહ્યા છે.
આ પણ વાંચો: આગલા 25 વર્ષો સુધી મોદીને હરાવનાર કોઈ નથીઃ શિવસેના

નવજોત સિંહ સિદ્ધુ ફસાયા
ખરેખર નવજોત સિંહ સિદ્ધુએ ચૂંટણી પહેલા કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીથી હારી ગયા તો તેઓ રાજનીતિથી સન્યાસ લઇ લેશે. ટ્વિટર પર લોકોએ સિદ્ધુને તેમના નિવેદન પર ઘેરવાનું ચાલુ કરી દીધું છે. ઘણા ટ્વિટર યુઝરે નવજોત સિંહ સિદ્ધુને રાજનીતિથી સન્યાસ લેવાનું યાદ કરાવ્યું.
|
યુઝરે પૂછ્યું, રાજનીતિથી સન્યાસ ક્યારે લેશો
એક યુઝરે લખ્યું કે મેં તમને રાજનીતિથી સન્યાસ લેવાનું કહીને ભૂલ કરી દીધી, મને યાદ ના હતું કે તમે કોંગ્રેસમાં છો, એટલા માટે તમે વચન કઈ રીતે પૂરું કરી શકો. નવજોત સિંહ સિદ્ધુ ચૂંટણી પ્રચાર દરમિયાન સ્મૃતિ ઈરાનીના અમેઠીથી પડકાર આપવાની વાત પર ગુસ્સે થયા હતા. તેમને કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી જશે, તો તેઓ રાજનીતિથી સન્યાસ લઇ લેશે.
|
સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી કોંગ્રેસનો કિલ્લો તોડી પાડ્યો
આ વખતે લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી ઉલટફેર ઉત્તર પ્રદેશના અમેઠીમાં જોવા મળી, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ પોતાની પારંપરિક સીટ પરથી ચૂંટણી હારી ગયા. ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ જ્યાં રાહુલ ગાંધીને મોટા અંતરથી મ્હાત આપી છે. આ જીત બાદ સ્મૃતિ ઈરાનીએ ખુશી વ્યક્ત કરીને કહ્યુ કે હું એ વાતથી ખુશ છુ કે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભરોસો દર્શાવ્યો. અમેઠીના લોકોએ મત દ્વારા પોતાનો વિશ્વાસ મારામાં દર્શાવ્યો છે અને હું તેમનો આભાર માનુ છુ. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે ચૂંટણી હાર્યા બાદ પણ છેલ્લા પાંચ વર્ષથી અહીં કામ કરી રહી છુ, એક વાર ફરીથી હું લોકોની સેવા કરીશ પરંતુ આ વખતે ચૂંટણી જીતીને લોકોની સેવા કરીશ.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
