આગલા 25 વર્ષો સુધી મોદીને હરાવનાર કોઈ નથીઃ શિવસેના
લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી જબરદસ્ત જીત બાદ શિવસેનાએ પોતાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.
લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી જબરદસ્ત જીત બાદ શિવસેનાએ પોતાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. મોદી કાર્યકાળમાં તેમના કડવા ટીકાકાર રહેલ શિવસેનાના સૂર બદલાઈ ગયા છે. શિવસેનાએ દાવો કર્યો છે કે દેશમાં એવો કોઈ નેતા નથી જે આવનારા 25 વર્ષમાં મોદીને હરાવી શકે.

શિવસેનાના પ્રવકતા તેમજ સાંસદ સંજય રાઉતે કહ્યુ કે એનડીએની જીતે એ તમામ વિપક્ષી દળોને જવાબ આપી દીધો છે જે મોદી સામે જૂઠનું વાતાવરણ ફેલાવવાની કોશિશ કરી રહ્યા હતા. એનડીએની આ જીત વર્ષ 2014ની જીતથી પણ મોટી છે. સંજય રાઉતે કહ્યુ કે મોદી સામે જૂઠનું વાતાવરણ બનાવવા માટે વિપક્ષને દેશને જનતાએ કરારો જવાબ આપી દીધો છે. તેમણે કહ્યુ કે શિવસેના અને મને સ્વીકાર કરવામાં કોઈ ઝિઝક નથી કે મોદીના પડકાર આપનાર આગામી 25 વર્ષોમાં કોઈ નથી.












Click it and Unblock the Notifications
