ભાજપે ટિકિટ નહીં આપી તો ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા
ટિકિટ નહીં મળવાને કારણે નારાજ સાંસદ ઉદિત રાજ હવે કોંગ્રેસમાં જોડાઈ ચુક્યા છે. કોંગ્રેસમાં જોડાયા પછી ઉદિત રાજે જણાવ્યું કે ભાજપની અસલિયત કંઈક જુદી છે
ટિકિટ નહીં મળવાને કારણે નારાજ સાંસદ ઉદિત રાજ હવે કોંગ્રેસમાં જોડાઈ ચુક્યા છે. કોંગ્રેસમાં જોડાયા પછી ઉદિત રાજે જણાવ્યું કે ભાજપની અસલિયત કંઈક જુદી છે અને તેઓ બતાવે કંઈક જુદું જ છે. પાર્ટીની અંદર દલિત વિરોધી માનસિકતા છે. તેમને કહ્યું કે મને ટિકિટ આપવામાં મોડું થવાથી આખા દેશમાં દલિત સમર્થકોમાં ગુસ્સો છે. તેમને આગળ કહ્યું કે જો મારી જ વાત પાર્ટી નથી સાંભળી રહી તો પછી તેઓ સામાન્ય દલિતોને ન્યાય કેવી રીતે અપાવશે.

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લિસ્ટમાં નામ નહીં આવવાને કારણે ઉદિત રાજ વિરોધી મૂડમાં જોવા મળી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેને પોતાના ટ્વિટર હેન્ડલથી ચોકીદાર શબ્દ પણ હટાવી દીધો હતો.
BJP MP Udit Raj joins Congress party in presence of Congress President Rahul Gandhi pic.twitter.com/nkk09fPlD1
— ANI (@ANI) April 24, 2019












Click it and Unblock the Notifications
