નરેન્દ્ર મોદી કરતા વધુ સારા પ્રધાનમંત્રી હતા દેવગૌડાઃ કુમારસ્વામી
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ દેવગૌડાને નરેન્દ્ર મોદી કરતા વધુ સારા પ્રધાનમંત્રી ગણાવ્યા.
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ દેવગૌડાને નરેન્દ્ર મોદી કરતા વધુ સારા પ્રધાનમંત્રી ગણાવ્યા. તેમણે કહ્યુ કે દેવગૌડાના 10 વર્ષના કાર્યકાળમાં આતંરિક સુરક્ષા વર્તમાન સરકાર કરતા ઘણી સારી હતી. ત્યારે દેશમાં શાંતિનો માહોલ હતો અને એકપણ આતંકી હુમલો નહોતો થયો. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉપયોગ લોકસભા ચૂંટણીમાં કરી રહી છે.
કુમારસ્વામીએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યુ કે મારે મોદી પાસેથી દેશભક્તિ શીખવાની જરૂર નથી. કુમારસ્વામીએ આગળ કહ્યુ કે પીએમ મોદી મને બ્રાંડ કરવાની કોશિશ ના કરે. સાથે તેમણે પીએમ મોદી પર ધર્મ અને તે આતંકવાદના નામે લોકોની ભાવનાઓ સાથે રમવાનો પણ આરોપ લગાવ્યો.
તમને જણાવી દઈએ કે હાલમાં જ પીએમ મોદીએ કર્ણાટકમાં એક રેલી દરમિયાન સીએમ કુમારસ્વામી પર કટાક્ષ કરીને તેમને અસહાય ગણાવ્યા હતા. આના જવાબમાં કુમારસ્વામીએ ટ્વિટ કરીને પીએમ મોદીને વિપક્ષી દળો પર મતો માટે ભાવનાઓને ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે તે પોતે ધર્મ અને આતંકવાદના નામે લોકોની ભાવનાઓ સાથે રમી રહ્યા છે.
આ પણ વાંચોઃ કાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, 45 યાત્રી ઘાયલ