Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રિયંકા ગાંધીએ માયાવતીને આપ્યો જવાબ-કોઈ કન્ફ્યુઝન નથી, અમારી લડાઈ ભાજપ સામે

લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી વાતાવરણ રોજ રસપ્રદ વળાંક લઈ રહ્યુ છે.

લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી વાતાવરણ રોજ રસપ્રદ વળાંક લઈ રહ્યુ છે. મહાગઠબંધનમાંથી આઉટ કોંગ્રેસની દરિયાદિલી પણ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીને ગમી નહિ. તેમણે સ્પષ્ટ કહી દીધુ છે કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સપા-બસપાનું ગઠબંધન પૂરતુ છે એવામાં કોંગ્રેસ જબરદસ્તી સીટ છોડવાનો ભ્રમ ન ફેલાવે. માયાવતીના આ વલણનું સપાએ પણ સમર્થન કર્યુ છે જેના પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે.

priyanka gandhi

પ્રયાગરાજથી વારાણસી સુધી બોટયાત્રા કરી રહેલી પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે અમારી અંદર કોઈ પ્રકારનું કોઈ કન્ફ્યુઝન નથી, અમે ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યા છે. વાસ્તવમાં માયાવતીએ કહ્યુ હતુ કે યુપીમાં સપા-બસપા અને આરએલડીનું ગઠબંધન છે એવામાં કોંગ્રેસ કોઈ ભ્રમ પેદા ન કરે. માયાવતીના આ નિવેદનનું સમર્થન કરીને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કોંગ્રેસને સલાહ આપી દીધી છે.

પ્રિયંકા ગાંધીએ પોતાની બોટ યાત્રાના પહેલા પડાવ રૂપે દુમદુમા ઘાટને પસંદ કર્યો. અહીં તેમણે એક સભાને સંબોધિત કરી અને સામાન્ય લોકો સાથે સીધો સંવાદ કર્યો. પ્રિયંકાએ અહીંથઈ મોદી સરકાર પર ખૂબ નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને ખૂબ સમસ્યાઓ થઈ છે. આજે દેશમાં બેરોજગારો ફરી રહ્યા છે. ખેડૂતોની મદદ માટે કોઈ સામે નથી આવી રહ્યુ. પ્રિયંકાએ કહ્યુ કે કેન્દ્ર સરકાર પોતાના ઉદ્યોગપતિ દોસ્તોને હજારો કરોડ રૂપિયા આપી દીધા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીએ નવી રાજકારણની શરૂઆત કરવા માટે યુપી મોકલ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X