ફિલ્મ નિર્માતાએ કન્હૈયાને ગણાવ્યો આતંકવાદી, કહ્યું- દેશના ટૂકડા કરવા માંગે છે
ફિલ્મ નિર્માતાએ કન્હૈયાને ગણાવ્યો આતંકવાદી, કહ્યું- દેશના ટૂકડા કરવા માંગે છે
નવી દિલ્હીઃ ફિલ્મ પ્રોડ્યૂસર અશોક પંડિતે બિહારના બેગૂસરાયથી સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારને પોતાના ટ્વીટમાં આતંકવાદી કહ્યો. કન્હૈયાએ ભાજપ પર નિશાન સાધતા એક ટ્વીટ કર્યું હતું, જેના જવાબમાં પંડિતે લખ્યું કે તૂ તો આતંકવાદી જેવો છે, દેશને તોડવા ઈચ્છે છે. પંડિત ફિલ્મ ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરના પણ કો-પ્રોડ્યૂસર છે.

કન્હૈયાના ટ્વીટના જવાબમાં તેને કહ્યો આતંકી જેવો
મંગળવારે કન્હૈયા કુમારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે 'યે લડાઈ પઢાઈ ઔર કડાહી કે બીચ હે- એક બાજુ લોકો છે જેઓ ભણી-ગણીને દેશનું ભવિષ્ય બનાવવા માંગે છે તો બીજી બાજુ એવા લોકો છે જેઓ આવા ભણેલા ગણેલા લોકો પાસે દિવસના 200 રૂપિયા લેખે પકોડા તળાવવા માંગે છે. કોઈ એન્જિનિયર મજબૂરીમાં ખલાસી બને તો તે રોજગારી નથી, બલકે સરકારની નીતિઓનો અત્યાચાર છે.' આ ટ્વીટના જવાબમાં અશોક પંડિતે લખ્યું કે 'તૂં ત્રણમાંથી એકેય કેટેગરીમાં નથી આવતો કેમ કે તું દેશના ટૂકડે-ટૂકડા કરવા માંગે છે. તૂં એક આતંકવાદીથી ઓછો નથી. આ દેશ તને માફ નહિ કરે. ડિપોઝિટ તો જપ્ત તારી જપ્ત થશે જ.'
|
કન્હૈયા વિરુદ્ધ રાજદ્રોહનો કેસ
જણાવી દઈએ કે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય 2016માં કથિત રીતે દેશ વિરોધી નારા લગાવવા આવેલા મામલામાં વિદ્યાર્થીઓ પર રાજદ્રોહનો મામલો નોંધવામાં આવ્યો હતો. જેમાં વિશ્વવિદ્યાલય છાત્રસંઘના તત્કાલીન અધ્યક્ષ કન્હૈયા કુમારનું નામ પણ સામેલ છે. આ મામલો ન્યાયાલયમાં વિચારાધીન છે.

કન્હૈયા સામે ગિરિરાજ સિંહ
કન્હૈયા કુમારને સીપીઆઈએ બેગૂસરાયથી ઉમેદવાર બનાવ્યો છે. અહીં તેની સામે ભાજપથી ગિરિરાજ સિંહ અને રાજદથી તનવીર હસન મેદાનમાં છે. બેગૂસરાયમાં દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર અને મુંગેરની સાથે 29 એપ્રિલે ચોથા તબક્કામાં મતદાન થશે. કન્હૈયા લડતો હોવાના કારણે આ સીટ ચર્ચામાં છે. કન્હૈયા કુમારના નામાંકનમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ પહોંચી હતી અને તેના પક્ષમાં વોટ માંગ્યા હતા. કેટલાય સામાજિક કાર્યકર્તા પણ કન્હૈયા કુમારના પક્ષમાં પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સતત બેગૂસરાયમાં છે, જ્યારે જેએનયૂથી પણ વિદ્યાર્થીઓ સતત બેગૂસરાયમાં કન્હૈયા કુમાર માટે વોટ માંગી રહ્યા છે. એવામાં મીડિયામાં પણ આ સીટ ચર્ચામાં છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
