ફિલ્મ નિર્માતાએ કન્હૈયાને ગણાવ્યો આતંકવાદી, કહ્યું- દેશના ટૂકડા કરવા માંગે છે
ફિલ્મ નિર્માતાએ કન્હૈયાને ગણાવ્યો આતંકવાદી, કહ્યું- દેશના ટૂકડા કરવા માંગે છે
નવી દિલ્હીઃ ફિલ્મ પ્રોડ્યૂસર અશોક પંડિતે બિહારના બેગૂસરાયથી સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારને પોતાના ટ્વીટમાં આતંકવાદી કહ્યો. કન્હૈયાએ ભાજપ પર નિશાન સાધતા એક ટ્વીટ કર્યું હતું, જેના જવાબમાં પંડિતે લખ્યું કે તૂ તો આતંકવાદી જેવો છે, દેશને તોડવા ઈચ્છે છે. પંડિત ફિલ્મ ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરના પણ કો-પ્રોડ્યૂસર છે.

કન્હૈયાના ટ્વીટના જવાબમાં તેને કહ્યો આતંકી જેવો
મંગળવારે કન્હૈયા કુમારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે 'યે લડાઈ પઢાઈ ઔર કડાહી કે બીચ હે- એક બાજુ લોકો છે જેઓ ભણી-ગણીને દેશનું ભવિષ્ય બનાવવા માંગે છે તો બીજી બાજુ એવા લોકો છે જેઓ આવા ભણેલા ગણેલા લોકો પાસે દિવસના 200 રૂપિયા લેખે પકોડા તળાવવા માંગે છે. કોઈ એન્જિનિયર મજબૂરીમાં ખલાસી બને તો તે રોજગારી નથી, બલકે સરકારની નીતિઓનો અત્યાચાર છે.' આ ટ્વીટના જવાબમાં અશોક પંડિતે લખ્યું કે 'તૂં ત્રણમાંથી એકેય કેટેગરીમાં નથી આવતો કેમ કે તું દેશના ટૂકડે-ટૂકડા કરવા માંગે છે. તૂં એક આતંકવાદીથી ઓછો નથી. આ દેશ તને માફ નહિ કરે. ડિપોઝિટ તો જપ્ત તારી જપ્ત થશે જ.'
|
કન્હૈયા વિરુદ્ધ રાજદ્રોહનો કેસ
જણાવી દઈએ કે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય 2016માં કથિત રીતે દેશ વિરોધી નારા લગાવવા આવેલા મામલામાં વિદ્યાર્થીઓ પર રાજદ્રોહનો મામલો નોંધવામાં આવ્યો હતો. જેમાં વિશ્વવિદ્યાલય છાત્રસંઘના તત્કાલીન અધ્યક્ષ કન્હૈયા કુમારનું નામ પણ સામેલ છે. આ મામલો ન્યાયાલયમાં વિચારાધીન છે.

કન્હૈયા સામે ગિરિરાજ સિંહ
કન્હૈયા કુમારને સીપીઆઈએ બેગૂસરાયથી ઉમેદવાર બનાવ્યો છે. અહીં તેની સામે ભાજપથી ગિરિરાજ સિંહ અને રાજદથી તનવીર હસન મેદાનમાં છે. બેગૂસરાયમાં દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર અને મુંગેરની સાથે 29 એપ્રિલે ચોથા તબક્કામાં મતદાન થશે. કન્હૈયા લડતો હોવાના કારણે આ સીટ ચર્ચામાં છે. કન્હૈયા કુમારના નામાંકનમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ પહોંચી હતી અને તેના પક્ષમાં વોટ માંગ્યા હતા. કેટલાય સામાજિક કાર્યકર્તા પણ કન્હૈયા કુમારના પક્ષમાં પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સતત બેગૂસરાયમાં છે, જ્યારે જેએનયૂથી પણ વિદ્યાર્થીઓ સતત બેગૂસરાયમાં કન્હૈયા કુમાર માટે વોટ માંગી રહ્યા છે. એવામાં મીડિયામાં પણ આ સીટ ચર્ચામાં છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
