જયાપ્રદા પર આઝમ ખાનના નિવેદન વિશે સુષ્મા સ્વરાજે શું કહ્યુ?
સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને યુપીની રામપુર લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનની ભાજપ ઉમેદવાર પર કરવામાં આવેલી અમર્યાદિત ટિપ્પણી વિશે રાજકીય હોબાળો મચી ગયો છે.
2019ની લોકસભા ચૂંટણીના રાજકીય પારો જેમ જેમ ઉપર ચડી રહ્યો છે તેમ તેમ રાજકીય દળોના નેતાઓના નિવેદનનું સ્તર પણ નીચે આવી રહ્યુ છે. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને યુપીની રામપુર લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનની ભાજપ ઉમેદવાર પર કરવામાં આવેલી અમર્યાદિત ટિપ્પણી વિશે રાજકીય હોબાળો મચી ગયો છે. આ મામલે એક તરફ આઝમ ખાન સામે રામપુરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે ત્યાં બીજી તરફ રાષ્ટ્રીય મહિલા પંચે પણ આની નોંધ લીધી છે. આ દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને આઝમ ખાન પર હુમલો કરતા સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવને ઘેર્યા છે.

‘દ્રૌપદીના ચીર હરણ પર મૌન ના સાધો'
જયાપ્રદા વિશે કરવામાં આવેલી આઝમ ખાનની અમર્યાદિત ટિપ્પણી પર કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને કહ્યુ, ‘મુલાયમ ભાઈ - તમે પિતામહ છો સમાજવાદી પાર્ટીના. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીર હરણ થઈ રહ્યુ છે. તમે ભીષ્મની જેમ મૌન સાધવાની ભૂલ ના કરો. @yadavakhilesh Smt.Jaya Bhaduri, Mrs.Dimple Yadav।' સુષ્મા સ્વરાજે પોતાના આ ટ્વીટમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ ટેગ કર્યા છે. ઉલ્લેખનીય છે કે જે ચૂંટણી સભામાં આઝમ ખાને જયાપ્રદા પર અમર્યાદિત ટિપ્પણી કરી તેમાં અખિલેશ યાદવ પણ મંચ પર બેઠેલા હતા.

આઝમ ખાને શું કહ્યુ હતુ
તમને જણાવી દઈએ કે રવિવારે રામપુરમાં આયોજિક એક ચૂંટણી જનસભામાં આઝમ ખાને એક અમર્યાદિત ટિપ્પણી કરતા કહ્યુ હતુ, ‘જેને આપણે આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે 10 વર્ષ જેમનાથી પ્રતિનિધિત્વ કરાવ્યુ, તેમની અસલિયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા. હું તો 17 દિવસમાં ઓળખી ગયો કે...' આઝમ ખાને પોતાના આ નિવેદન પર હોબાળો મચી ગયા બદા સફાઈ આપતા કહ્યુ કે તેમણે કોઈનું નામ લીધુ નથી. આઝમ ખાને પડકાર આપતા કહ્યુ કે જો કોઈ તેમને દોષી સાબિત કરી દેશે તો કે રાજકારણ છોડી દેશે.

મહિલા પંચે મોકલી નોટિસ
વળી, આ મામલે આઝમ ખાનની મુશ્કેલીઓ વધવી શરૂ થઈ ગઈ છે. આઝમ ખાન સામે રામપુરમાં એફઆઈઆર નોંધવામાં આવી ચૂકી છે. ચૂંટણી કમિશને આ સમગ્ર મામલે જિલ્લા અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય મહિલા પંચે પણ આ મામલાની નોંધ લઈને આઝમ ખાન પાસે તેમના વિવાદિત નિવેદન વિશે નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. રાષ્ટ્રીય મહિલા કમિશનના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યુ કે આઝં ખાન હંમેશા મહિલાઓ વિશે આ પ્રકારના ગંદા નિવેદનો આપે છે. આ ચૂંટણીમાં મહિલા નેતાઓ પર આ તેમની બીજી ટિપ્પણ છે. મહિલા પંચે આ મામલે નોંધ લઈ લીધી છે અને તેમને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
