Lok Sabha Exit Poll 2024: ઉત્તર પૂર્વ દિલ્હી સીટ પર કનૈયા કુમારના જીતવાના કેટલા ચાન્સ? જાણો એક્ઝિટ પોલના આંકડા
Lok Sabha Exit Poll 2024 : લોકસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. આ પોલમાં બીજેપીની જીત વચ્ચે તમામ લોકોની નજર દિલ્હીની 7 સીટો પર ટકેલી છે.
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલમાં ફરી એકવાર બીજેપીના ઉમેદવાર સાંસદ મનોજ તિવારી નોર્થ ઈસ્ટ દિલ્હી સીટ જીતતા દર્શાવવામાં આવ્યા છે. કોંગ્રેસના કન્હૈયા કુમાર એક વખત ફરીથી હારી શકે છે.

દિલ્હીમાં કોંગ્રેસ અને AAP મળીને તમામ સાત લોકસભા સીટો પર ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે. AAP ચાર બેઠકો પર જ્યારે કોંગ્રેસ સાત બેઠકો પર ચૂંટણી લડી છે.
ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા સીટ પર ભાજપના મનોજ તિવારી અને કોંગ્રેસના પૂર્વ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (JNUSU)ના અધ્યક્ષ કન્હૈયા કુમાર વચ્ચે જોરદાર ટક્કર છે. બંને મૂળ બિહારના છે અને સીટ જીતવા પુરી તાકાત લગાવી છે
ઉત્તર પ્રદેશ અને બિહારમાં પૂર્વાંચલીની મોટી વસ્તી છે. કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમારે મનોજ તિવારીની દસ વર્ષની સત્તા વિરોધી લહેર પર દાવ ખેલ્યો છે.
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ તમામ 543 સંસદીય મતવિસ્તારોમાં 5.8 લાખ ઈન્ટરવ્યુ પર આધારિત છે. જો કે, એક્ઝિટ પોલ ખોટા પણ હોઈ શકે છે.
2014ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પૂર્વ દિલ્હીની બેઠક જીતનાર તિવારીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિતને 3.6 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં મનોજ તિવારીએ AAPના ઉમેદવારને હરાવીને સીટ જીતી હતી.












Click it and Unblock the Notifications
