Lok Sabha Speaker : બીજેપી-કોંગ્રેસે સાંસદોને વ્હીપ જારી કર્યો, સંસદમાં હાજર રહેવા આદેશ
લોકસભામાં હંગામા વચ્ચે લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા બીજેપી અને કોંગ્રેસે પાર્ટીના તમામ સાંસદોને વ્હીપ જારી કર્યો છે.
લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સંસદના વિશેષ સત્ર દરમિયાન થવાની છે. શાસક પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે આને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હવે કોંગ્રેસે લોકસભામાં તેના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને આવતીકાલે 26 જૂને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે.

કોંગ્રેસ સંસદીય દળ વતી સાંસદોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આવતીકાલે લોકસભામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવશે. લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મહેરબાની કરીને હાજર રહે. સવારે 11 વાગ્યાથી ગૃહ સ્થગિત થવા સુધી ગૃહમાં હાજર રહે.
આ સંદેશને ખૂબ જ મહત્વપૂર્ણ માનવો. કોંગ્રેસનો આ વ્હીપ કે સુરેશ દ્વારા જારી કરવામાં આવ્યો છે, જેઓ વિપક્ષ તરફથી લોકસભા અધ્યક્ષના ઉમેદવાર પણ છે.
ભાજપે પણ તેના તમામ સાંસદોને વ્હિપ જારી કરીને બુધવારે લોકસભા અધ્યક્ષની ચૂંટણી માટે સત્ર દરમિયાન હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
1952 પછી પહેલીવાર 18મી લોકસભામાં સ્પીકર પદ માટે લડાઈ થશે. એનડીએના ઓમ બિરલા I.N.D.I.A બ્લોકમાંથી કે.સુરેશનો સામનો કરશે. શરૂઆતમાં એનડીએ અને વિપક્ષ વચ્ચે સ્પીકર પદ માટે સહમતિ હોય તેવું લાગતું હતું પરંતુ પછી વિપક્ષે માંગ કરી હતી કે ડેપ્યુટી સ્પીકરનું પદ તેમને આપવામાં આવે, પરંતુ એનડીએએ શરતી સમર્થન સ્વીકારવાનો ઇનકાર કર્યો, જેના કારણે સર્વસંમતિ થઈ શકી નથી.












Click it and Unblock the Notifications
