Lok Sabha Speaker : લોકસભા સ્પીકર પદને લઈને TDP ખેલ કરવાની તૈયારીમાં? જાણો શું કહ્યું પાર્ટીએ?
Lok Sabha Speaker : એનડીએ સરકારમાં મંત્રીપદને લઈને ખેંચતાણ ચાલી રહી છે ત્યારે હવે બીજી તરફ લોકસભાના સ્પીકર પદને લઈને ખેંચતાણ શરૂ થઈ છે.
એનડીએ સરકારના શપથગ્રહણ બાદ સંસદનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ સત્ર આઠ દિવસ સુધી ચાલશે. લોકસભાના અધ્યક્ષની ચૂંટણી આ સત્રના ત્રીજા દિવસે 26 જૂને થશે.

આ ચૂંટણી પહેલા વિપક્ષ વારંવાર આગ્રહ કરી રહ્યો છે કે એનડીએના સહયોગી પક્ષો પાસે લોકસભા સ્પીકરનું પદ હોવું જોઈએ.
આ મુદ્દે નીતિશ કુમારના જનતા દળ (યુનાઈટેડ)એ સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જે પણ નિર્ણય લેશે તેનું પાર્ટી સમર્થન કરશે. ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ કહ્યું છે કે ગઠબંધનમાં તમામ પક્ષોની સહમતિથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે.
જનતા દળ (યુનાઈટેડ)ના નેતા કેસી ત્યાગીએ શનિવારે કહ્યું કે, જેડીયુ અને ટીડીપી એનડીએમાં સહયોગી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકિત ઉમેદવારને સમર્થન કરશે.
કેસી ત્યાગીએ ANIને કહ્યું કે, JDU અને TDP NDAમાં મજબૂતીથી છે. અમે ભાજપ દ્વારા નામાંકિત વ્યક્તિનું સમર્થન કરીશું.
ટીડીપીના રાષ્ટ્રીય પ્રવક્તા પટ્ટાભી રામ કોમારેડ્ડીએ કહ્યું કે, સર્વસંમતિ ધરાવતા ઉમેદવારને જ સ્પીકર પદ મળશે. તેમણે કહ્યું કે, આ સંબંધમાં એનડીએ સહયોગીઓ સાથે બેસીને નક્કી કરશે કે સ્પીકર માટે અમારો ઉમેદવાર કોણ હશે. સર્વસંમતિ સધાય પછી જ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવશે અને ટીડીપી સહિત તમામ સાથી પક્ષો ઉમેદવારને સમર્થન આપશે.
બીજી તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, માત્ર TDP અને JDU જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતા લોકસભા સ્પીકર પદની ચૂંટણીને આતુરતાથી જોઈ રહી છે. જો ભાજપનો ભવિષ્યમાં કોઈ અલોકતાંત્રિક કૃત્ય કરવાનો ઈરાદો ન હોય તો તેમણે સ્પીકરનું પદ સાથી પક્ષને જ આપવું જોઈએ.
ગઠબંધનના સિદ્ધાંતને અનુસરીને 1998 થી 2004 સુધી અટલ બિહારી વાજપેયી સરકારમાં ટીડીપી અને શિવસેનાના સ્પીકર હતા અને 2004 થી 2009 સુધી યુપીએ સરકારમાં સીપીઆઈ(એમ)ના સ્પીકર હતા અને લોકસભાનું સારી રીતે સંચાલન કર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ટીડીપી અને જેડીયુએ મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગોવા, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં સરકારને તોડવા માટે ભાજપ દ્વારા કરાયેલા કાવતરાને ભૂલવું જોઈએ નહીં. આમાંના ઘણા રાજ્યોમાં સ્પીકરની ભૂમિકાને કારણે સરકાર પડી અને પક્ષો તૂટી ગયા.
2019 માં TDP રાજ્યસભાના 6માંથી 4 સાંસદો ભાજપમાં જોડાયા અને પછી TDP કંઈ કરી શકી નહીં. હવે જો ભાજપ લોકસભા સ્પીકરનું પદ જાળવી રાખે છે તો TDP અને JDUએ તેમના સાંસદોની હોર્સ ટ્રેડિંગ જોવા માટે તૈયાર રહેવું જોઈએ.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
