Lok Sabha Speaker : કોણ છે દગ્ગુબતી પુરંદેશ્વરી? જે બની શકે છે લોકસભા સ્પીકર
કેન્દ્રમાં એનડીએની સરકાર બની ગઈ છે અને નરેન્દ્ર મોદી સહિત 72 મંત્રીઓએ શપથ લઈ લીધા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હજુ પણ લોકસભા સ્પીકરને લઈને અટકળો ચાલી રહી છે.
એનડીએ સરકારના મંત્રીઓની યાદીમાંથી આંધ્રપ્રદેશનું એક મોટું નામ ગાયબ હતું ત્યારે આ એક મોટું આશ્ચર્ય હતું. આ નામ આંધ્ર પ્રદેશ બીજેપી અધ્યક્ષ અને રાજમુંદરીના સાંસદ દગ્ગુબતી પુરંદેશ્વરી છે.

લાગી રહ્યું છે કે ભાજપે પુરંદેશ્વરીને મોટી જવાબદારી આપવાનું આયોજન કર્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને લખ્યું છે કે પુરંદેશ્વરીને 18મી લોકસભાના સ્પીકર બનાવવામાં આવી શકે છે. તે લોકસભા સ્પીકર (LS સ્પીકર) બનવાની રેસમાં સૌથી આગળ છે.
જો પુરંદેશ્વરી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાય તો તે આ પદ સંભાળનાર આંધ્રના બીજા સાંસદ હશે. તેમના પહેલા અમલપુરમના પૂર્વ સાંસદ ગંતિ મોહન ચંદ્ર બાલયોગી 12મી લોકસભામાં સ્પીકર રહી ચૂક્યા છે. બાલયોગી જ્યારે લોકસભાના સ્પીકર હતા ત્યારે 2002માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
કોણ છે દગ્ગુબતી પુરંદેશ્વરી?
દગ્ગુબતી પુરંદેશ્વરી 2023 થી આંધ્ર પ્રદેશ ભાજપના અધ્યક્ષ છે. તે તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સ્થાપક NTRની પુત્રી છે. પુરંદેશ્વરી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે.
પુરંદેશ્વરીએ 2024ની ચૂંટણી માટે આંધ્રમાં ટીડીપી અને જનસેના સાથે બીજેપીનું ગઠબંધન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
લોકસભા ચૂંટણીમાં આંધ્રમાંથી NDAના 21 સાંસદો ચૂંટાયા છે. જેમાંથી 16 ટીડીપીના, ત્રણ ભાજપના અને બે જનસેનાના છે. વિધાનસભા ચૂંટણીમાં પણ NDAએ 175માંથી 164 બેઠકો જીતી હતી.
રાજમુન્દ્રીથી સાંસદ ચૂંટાયા પહેલા પુરંદેશ્વરીએ કોંગ્રેસ વતી 2004માં બાપટલા અને 2009માં વિશાખાપટ્ટનમનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2014માં જ્યારે આંધ્રનું વિભાજન થયું ત્યારે તેણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ.
આંધ્રપ્રદેશમાં ભાજપને પ્રવેશ કરવો મુશ્કેલ હતો ત્યારે પુરંદેશ્વરીને જવાબદારી સોંપવામાં આવી હતી. પુરંદેશ્વરીએ પક્ષને આઠ વિધાનસભા બેઠકો અને ત્રણ લોકસભા બેઠકો પર જીત અપાવી. લોકો તેને દક્ષિણની સુષ્મા સ્વરાજ પણ કહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
