Loksabha Election : પંજાબમાં આમ આદમી પાર્ટી ઉમેદવારો ક્યારે જાહેર કરશે? જાણો શું કહ્યું કેજરીવાલે?
લોકસભા ચૂંટણી માટે રાજકિય પાર્ટીઓ એક્શનમાં આવી ગઈ છે અને ઉમેદવારો જાહેર કરી રહી છે ત્યારે હવે કેજરીવાલે પંજાબમાં ઉમેદવારોને લઈને મહત્વનું નિવેદન આપ્યુ છે.
આમ આદમી પાર્ટીએ દિલ્હી અને હરિયાણામાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે લોકોની નજર પંજાબમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર ટકેલી છે. પંજાબમાં જ્યાં આમ આદમી પાર્ટી સત્તામાં છે ત્યાં AAP કયા ઉમેદવારો પર દાવ લગાવશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કાર્યક્રમોમાં ભાગ લેવા શનિવારે દિલ્હીથી પંજાબ આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે પંજાબ લોકસભાના ઉમેદવારોની યાદી ક્યારે જાહેર કરવામાં આવશે?
પંજાબમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ચર્ચા ચાલી રહી છે, આગામી 2-4 દિવસમાં જાહેરાત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, અમે ગઈકાલે રાત્રે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પણ ચર્ચા કરી હતી અને હાલમાં વિચાર-મંથન ચાલી રહ્યું છે, અપેક્ષા છે કે બે-ચાર દિવસમાં અમે પંજાબ લોકસભા બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરીશું.












Click it and Unblock the Notifications
