પરેશ રાવલના જૂતા મારવાના નિવેદન પર ઉર્મિલાએ કહ્યુઃ જનતા બધુ જાણે છે
બોલિવુડની રંગીલા ગર્લના નામથી જાણીતી ઉર્મિલા માતોંડકરે હાલમાં જ કોંગ્રેસ જોઈન કર્યુ છે. તે જોરશોરથી હાલમાં હાલમાં ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગઈ છે.
બોલિવુડની રંગીલા ગર્લના નામથી જાણીતી ઉર્મિલા માતોંડકરે હાલમાં જ કોંગ્રેસ જોઈન કર્યુ છે. તેમને મુંબઈ નોર્થથી પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે અને તે જોરશોરથી હાલમાં હાલમાં ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગઈ છે. ઉર્મિલાની એન્ટ્રી પર હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલે હાલમાં જ એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ઘણી વાર ફિલ્મી સ્ટાર્સ ભીડ તો ભેગી કરી લે છે પરંતુ રાજકારણમાં ટકી રહેવા માટે ઘણુ કામ કરવુ પડે છે.

સેલિબ્રિટીને જનતા જૂતા પણ મારે છેઃ પરેશ રાવલ
પરેશ રાવલે કહ્યુ હતુ કે સેલિબ્રિટીને જોઈને જનતા તેમને જોવા માટે આવે છે, તે એમને સાંભળે છે, સમજે છે અને જો તમે એમને સમજમાં ન આવ્યા તો જનતા જૂતા પણ બતાવે છે અને આ વાત દરેક સ્ટાર્સે રાજકારણમાં આવતા પહેલા સમજી લેવી જોઈએ. જો કે પરેશ રાવલે આ વાત માત્ર ઉર્મિલા માતોંડકર માટે નહોતી કહી પરંતુ તેમણે આ વાત એ બધા ફિલ્મી સ્ટાર્સ માટે કહી હતી કે જે રાજકારણમાં આવી રહ્યા છે અથવા આવી ચૂક્યા છે જેમાં તે પોતે પણ શામેલ છે.

ઉર્મિલાએ આપ્યો આકરો જવાબ
જેના જવાબમાં ઉર્મિલાએ ઘણા આકરો રિસ્પોન્સ આપીને કહ્યુ કે તે ફિલ્મોમાંથી રાજકારણમાં સારી સમજ લઈને આવી છે. તે બહુ સારી રીતે જાણે છે કે ફિલ્મી સ્ટાર્સ થોડી ઘણી ભીડ ભેગી કરી લે છે પરંતુ જનતા સમજદાર છે, એ બહુ સારી રીતે અસલી અને નકલીનો ફરક કરતા જાણે છે.

અમુક લોકો પોતાની ચિંતા કરે તો સારુ રહેશે
તમને જણાવી દઈએ કે પરેશ રાવલ અમદાવાદ પૂર્વથી ભાજપના સાંસદ છે અને આ વખતે ચૂંટણી નથી લડવાના. ઉર્મિલા અને પરેશ રાવલ બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. ચાઈના ગેટ, દૌડ, જુદાઈ, સત્યા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.












Click it and Unblock the Notifications
