LS Polls 2024 : શું છે એક્ઝિટ પોલ? જાણો તેને તૈયાર કરવાની પુરી પ્રક્રિયા
લોકસભા ચૂંટણીનો છેલ્લો તબક્કો પહેલી જૂને યોજાવા જઈ રહ્યો છે. આ તબક્કાનું મતદાન પુરૂ થતાની સાથે જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ જશે.
એક્ઝિટ પોલ પાછળનો વિચાર વાસ્તવિક પરિણામોની જાહેરાત થાય તે પહેલાં જાહેર ભાવનાઓને પ્રતિબિંબિત કરવાનો છે, ભૂતકાળમાં તેમની ચોકસાઈની તપાસ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે ભારતીય ચૂંટણી પંચ4 જૂને અંતિમ પરિણામ જાહેર કરશે. આ સંજોગોમાં દરેકના મનમાં પ્રશ્ન ઉઠે તે સ્વાભાવિક છે કે એક્ઝિટ પોલ ક્યારે આવશે? નિયમો શું છે? એક્ઝિટ પોલ કેમ સચોટ નથી? અભિપ્રાય અને એક્ઝિટ પોલ વચ્ચે શું તફાવત છે?
ઓપિનિયન અને એક્ઝિટ પોલ વચ્ચે શું તફાવત છે?
ઓપિનિયન પોલ
જનતાનો અભિપ્રાય કયા પક્ષ કે ઉમેદવારની તરફેણમાં છે તે જાણવા માટે ચૂંટણી પહેલા આ સર્વે કરવામાં આવે છે. તેનો હેતુ આગાહી કરવાનો છે કે ચૂંટણી કોણ જીતી શકે છે? આ મતદારોના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે કારણ કે તે ચૂંટણી પહેલા પ્રકાશિત થાય છે.
એક્ઝિટ પોલ
આ મતદાનના છેલ્લા દિવસે મતદાન મથકની બહાર આવતા મતદારો પર કરવામાં આવે છે, જેથી તેમણે કોને મત આપ્યો છે તેનો અંદાજ લગાવી શકાય. તેનો હેતુ વાસ્તવિક મતદાન પછી સંભવિત પરિણામોની આગાહી કરવાનો છે. તે ચૂંટણી પછી સંભવિત પરિણામોનો સંકેત આપે છે અને મતોની ગણતરી થાય તે પહેલાં જ જનતા અને મીડિયાને જાણકારી આપે છે.
એક્ઝિટ પોલ ક્યારે આવે છે?
ચૂંટણી પંચ મતદાન પ્રક્રિયા દરમિયાન એક્ઝિટ પોલ જાહેર કરવાની મનાઈ ફરમાવે છે, પરંતુ અંતિમ મતદાન થયાની 30 મિનિટ પછી તેને જાહેર કરવાની છૂટ છે. નિયમો અનુસાર, એક્ઝિટ પોલના ડેટા છેલ્લા તબક્કાના મતદાન પહેલા એટલે કે 1 જૂને સાંજે 6:30 વાગ્યા પહેલા જાહેર કરી શકાશે નહીં.
એક્ઝિટ પોલ કેવી રીતે તૈયાર કરાય છે?
એક્ઝિટ પોલમાં સેમ્પલ સિલેક્શન માટે અલગ-અલગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. મતદાનના દિવસે મતદાન મથકોની બહાર મતદારોને સીધા પ્રશ્નો પૂછાય છે.
મતદારોને પૂછવામાં આવે છે કે તેઓએ કોને મત આપ્યો? એક્ઝિટ પોલિંગ એજન્સીઓની ટીમો મતદાન મથકની બહાર ઘણા સમાન પ્રશ્નો પૂછવા માટે હોય છે.
એક્ઝિટ પોલ તૈયાર કરવા માટે સર્વેક્ષણ એજન્સીઓ મતદારોના પ્રતિનિધિ નમૂના પસંદ કરે છે. ખાસ વાત એ છે કે આ નમૂના સામાન્ય રીતે વસ્તીના વિવિધ વય જૂથો, જાતિઓ અને સામાજિક-આર્થિક વર્ગોનું પ્રતિનિધિત્વ કરે છે.
શું છેનિયમ? ઉલ્લંઘન માટે જેલ થઈ શકે?
જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 126A હેઠળ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોય તે સમયગાળા દરમિયાન એક્ઝિટ પોલ પ્રકાશિત કરી શકાતા નથી. આ સમયગાળો ચૂંટણી પંચ દ્વારા સૂચિત કરવામાં આવે છે અને સામાન્ય રીતે ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાનની શરૂઆતથી છેલ્લા તબક્કાના મતદાનના અંત સુધી લંબાય છે.












Click it and Unblock the Notifications
