પેટ્રોલ પંપે પાણી ભેળવીને પેટ્રોલ વેચ્યું, લોકોએ હંગામો કર્યો
યુપીના લખનવમાં લોકોને ચૂનો લગાવવા માટે નવી નવી તરકીબો ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
યુપીના લખનવમાં લોકોને ચૂનો લગાવવા માટે નવી નવી તરકીબો ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જનતા પહેલાથી જ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન છે, જયારે પેટ્રોલ પંપ માલિકો પાણી ભેળવીને પેટ્રોલ વેચી રહ્યા છે. ખરેખર ગોમતીનગરના હુંસડીયા પાસે આઇઓસી પેટ્રોલ પંપ છે. શનિવારે સાંજે જયારે કેટલાક લોકો ગાડીમાં પેટ્રોલ ભરાવીને નીકળ્યા ત્યારે કેટલાક લોકોની ગાડી ચાલુ જ નહીં થયી, જયારે કેટલાક લોકોની ગાડી થોડે દૂર જઈને બંધ થઇ ગયી. ત્યારપછી ભેળસેળનો આરોપ લગાવીને લોકોએ પેટ્રોલ પંપ પર હંગામો કરવાનો ચાલુ કરી દીધો.

પોલીસ પણ પહોંચી
હંગામા વિશે સૂચના મળતા જ ગોમતીનગર પોલીસ પણ ત્યાં પહોંચી ગયી. લોકોની ફરિયાદ હતી કે પેટ્રોલ પંપમાં પાણી ભેળવીને પેટ્રોલ વેચવામાં આવી રહ્યું છે. એટલા માટે તેને તત્કાલ બંધ કરી દેવું જોઈએ.

પેટ્રોલનું સેમ્પલ લીધું
પોલીસે હંગામો વધતો જોઈને પ્રશાશનને સૂચના આપી ત્યારપછી આપૂર્તિ વિભાગ જગ્યા પર પહોંચ્યા અને પેટ્રોલનું સેમ્પલ લીધું. પોલીસે હાલમાં આગળના આદેશ સુધી પેટ્રોલ પંપ પર વેચાણથી રોક લગાવી દીધી છે. જયારે બીજી બાજુ આઇઓસી અધિકારીઓ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે કે આખરે પેટ્રોલમાં પાણી કેવી રીતે આવ્યું.

ઇન્ડિયન ઓઇલ અધિકારી
જગ્યા પર પહોંચેલા ઇન્ડિયન ઓઇલ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણથી ચાર વાહનોની ટાંકીમાં પેટ્રોલ સાથે પાણી મળવાની ફરિયાદ મળી. વરસાદ દરમિયાન પંપના મુખ્ય ટેન્કમાં પાણી જવાનું જોખમ રહે છે. ફરિયાદ કરનાર વાહનોની ટાંકી સાફ કરીને તેમાં ફરીથી પેટ્રોલ ભરાવી દેવામાં આવ્યું છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
