લખનઉઃ SGPGIમાં હવે TBના દર્દીઓ માટે થઈ એક સારી પહેલ, જરુરિયાતમંદોને મળશે સુવિધા

ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવતા ટીબીના દર્દીઓને તેમની સારવાર મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને ધ્યાનમાં રાખીને હવે હૉસ્પિટલ દ્વારા એક સારી પહેલ કરવામાં આવી છે.

UP

SGPGI Lucknow: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સ્થિત સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SGPGI) એ ટીબી સામે લડતા ગરીબ દર્દીઓ માટે સારી પહેલ કરી છે. સંસ્થાના ડિરેક્ટર કહે છે કે ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવતા ટીબીના દર્દીઓને તેમની સારવાર મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને ધ્યાનમાં રાખીને હવે હૉસ્પિટલ દ્વારા આવા જરૂરિયાતમંદ દર્દીઓની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે.

ડૉક્ટરોની ટીમ ટીબીના દર્દીઓને દત્તક લેશે

ટીબીના દર્દીઓની પોષણ અને તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા માટે, SGPGIના ડૉકટરો અને નર્સોની ટીમ તેમને દત્તક લેવા આગળ આવી છે. એસજીપીજીઆઈના ડાયરેક્ટર પ્રો.આર.કે.ધીમાન, ડૉ.રિચા, ડૉ.મોઈનક, ડૉ.અમિત ગોયલ, ડૉ.આશિમા, ડૉ.અપર્ણા, ડૉ.પારિજાત, ડૉ.અબ્બાસ, વહીવટી અધિકારી સંજય જૈનની ટીમ પીડિત દર્દીઓને દત્તક લેશે.

આ રોગીઓનુ ધ્યાન રાખશે તેમની ટીમ

સંસ્થા દ્વારા કહેવામાં આવ્યુ છે કે તેઓ આ દર્દીઓની સારવાર પર નજર રાખશે અને તેમને પોષણ સહાય પણ આપશે. 24 માર્ચે મનાવવામાં આવનાર વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં SGPGIના નિયામક, 2025 સુધીમાં ટીબી નાબૂદીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

એસજીપીજીઆઈના નિર્દેશકે આપી માહિતી

પ્રોફેસર ધીમાને જણાવ્યુ હતુ કે, 'ટીબીના દર્દીઓ ઘણીવાર ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને તેઓ ફળો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો સાથે ઉચ્ચ પ્રોટીન આહાર પરવડી શકતા નથી, તેથી SGPGI પરિવારના સભ્યોએ તેમને દત્તક લેવાની પહેલ કરી અને દર મહિને તેમને પર્યાપ્ત પોષણ સહાય પૂરી પાડવાની પહેલ કરી અને તેઓ તેમની દેખરેખ પણ રાખશે. તેઓ તેમની સારવાર કરશે અને ખાતરી કરશે કે તમામ દવાઓ તેમના નજીકના ડૉટ્સ કેન્દ્ર પર તેમને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

એસજીપીજીઆઈમાં ટીબીના દર્દીઓને લઈને થયો આ કાર્યક્રમ

આ કાર્યક્રમમાં પદ્મશ્રી ડૉ. દિગંબર બેહેરા, ભૂતપૂર્વ ડીન અને પલ્મોનરી મેડિસિન, PGIMER, ચંદીગઢના વડા, અતિથિ વિશેષ હતા અને તેમણે મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ પર વક્તવ્ય આપ્યુ હતુ. ડૉ. અશ્વિની ખન્ના, વરિષ્ઠ પલ્મોનોલોજિસ્ટ, એલએનજેપી, દિલ્હીએ આ રોગની સારવાર વિશે માહિતી આપી હતી. રાજ્ય ક્ષય અધિકારી ડૉ. શૈલેન્દ્ર ભટનાગરે પણ આ પહેલની ખૂબ પ્રશંસા કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X