મધ્ય પ્રદેશઃ નદીમાં બસ ખાબકતા 6ના મોત, 19 ઘાયલ, ગાયબ લોકોની શોધખોળ ચાલુ
મધ્ય પ્રદેશના રાયસેનમાં રીછન નદીમાં બસ ખાબકી જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 19થી પણ વધુ લોકો ઘાયલ થઈ ગયા છે.
મધ્ય પ્રદેશના રાયસેનમાં ભીષણ બસ દૂર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે. રાયસેનમાં રીછન નદીમાં બસ ખાબકી જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 19થી પણ વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. ઘણા લોકો ગાયબ હોવાનુ જણાવાઈ રહ્યુ છે જેમની શોધખોળ ચાલુ છે.
રિપોર્ટ મુજબ બુધવારે મોડી રાતે એક મુસાફર બસ રીછન નદીની ઉપર બનેલા પુલ પરથી પસાર થઈ રહી હતી પરંતુ અચાનક બસે નિયંત્રણ ગુમાવી દીધુ અને રેલિંગ તોડીને રીછન નદીમાં જઈને પડી. દૂર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 19થી વધુ લોકો ઘાયલ થયા છે. વળી, સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઘણા લોકો ગાયબ હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે જેમની શોધખોળ અત્યારે ચાલુ છે.
Madhya Pradesh: 6 people killed, 19 injured after a bus fell into a river in Raisen, last night; injured being treated at a local hospital pic.twitter.com/51qB8le8hY
— ANI (@ANI) 3 October 2019
લોકોને સૂચના મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા. સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરવામાં આવ્યુ. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બસ ઈન્દોરથી છતરપુર માટે જઈ રહી હતી. આ બસમાં લગભગ 45 મુસાફરો સવાર હતા. હાલમાં 6 મૃતદેહો બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. અન્ય ગાયબ મુસાફરોની શોધ ચાલુ છે.
આ પણ વાંચોઃ ALERT: 24 કલાકમાં આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી