Madhya Pradesh Results 2023: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને ન મળી સત્તા, જાણો હારના કારણો
Madhya Pradesh Results 2023: મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ આ ત્રણ રાજ્યોમાં ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઇ ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે સામે આવી છે. પ્રચંડ જીતની તરફ વધી રહેલી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયોમાં ઢોલ-નગારા વાગી રહ્યા છે, અને મીઠાઇ વહેંચવામાં આવી રહી છે.
બીજી તરફ મધ્ય પ્રદેશ કોંગ્રેસની છાવણીમાં નિરાશા જોવા મળી રહી છે. કોંગ્રેસ કાર્યાલયમાં જે લાડુ આવ્યા હતા, તે એમના એમ જ રાખવામાં આવ્યા છે. સવાલ એ છે કે, 2019ની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં બહુમતીના આંકે પહોંચેલી કોંગ્રેસની એવી તો શું ભૂલ થઇ ગઇ કે, 2023ના ચૂંટણી પરિણામોના ટ્રેન્ડ પ્રમાણે તે હજુ પણ હારના આરે છે.

સત્તા વિરોધી કોઈ ભૂમિકા નહીં - ભાજપ સત્તાવિરોધીને ફગાવીને જીત્યો છે. રાજકારણમાં આ એક સંશોધનનો વિષય હોવો જોઈએ. કારણ કે, 18 વર્ષ પછી પણ ચૂંટણી થાય છે અને પાર્ટીને જંગી જીત મળે છે, તે પણ 18 વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી. જ્યારે ભાજપે છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તા ગુમાવી હતી, પરંતુ મધ્યપ્રદેશમાં 15 મહિનાની અંદર જ સત્તા ગુમાવી હતી.
દિગ્ગી કમલનાથે કોઈનું કદ વધવા ન દીધું - કોંગ્રેસે કોઈને પણ કમલનાથ અને દિગ્વિજય સિંહથી મોટો નેતા બનવા દીધો નથી. બંને નેતાઓ દિગ્ગજ છે. કમલનાથની ઉંમર 77 વર્ષ અને દિગ્વિજય સિંહની ઉંમર 76 વર્ષની છે.
યુવા નેતાઓનો કોઈ બેકઅપ નથી - કોઈ યુવા નેતાને આવવા દેવામાં આવ્યા ન હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા જે કોંગ્રેસમાં એક મોટી વ્યક્તિ હતા. યુવાન હોવાને કારણે તેઓને પણ બાજુ પર રાખવામાં આવ્યા હતા. તેમને ભાજપમાં જોડાવાની ફરજ પડી હતી. કોંગ્રેસના યુવા નેતૃત્વ માટે મધ્યપ્રદેશ બેકઅપ બની શક્યું નથી.
માત્ર વિક્રાંત ભુરીયા યુથ કોંગ્રેસના પ્રમુખ છે, જેઓ કાંતિલાલ ભુરીયાના પુત્ર છે અને વ્યવસાયે એમબીબીએસ ડૉક્ટર છે. તેમના પર વરિષ્ઠ કોંગ્રેસી અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કાંતિલાલ ભુરિયાની છાપ પણ છે.
કમલનાથનું જિદ્દી વલણ - રાજકીય વિશ્લેષકોની નજરમાં ચોથો પણ સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે, કમલનાથમાં રાજકીય નેતૃત્વ કરવાની ક્ષમતા નથી, તેઓ રાજકારણી જેવા ઓછા અને મોટી કંપનીના મેનેજર જેવા વધુ દેખાય છે. રાજકીય બેઠકોમાં તેઓ કોર્પોરેટ બેઠકોની જેમ વર્તે છે. કમલનાથ મિનિટના આધારે ધારાસભ્યોને મળવાનો સમય આપતા હતા.
કમલનાથની ઈમેજ કરતા વધારે છે શિવરાજની ઈમેજ - કોંગ્રેસમાં કમલનાથનું વલણ સરમુખત્યારશાહી રહ્યું છે, તો બીજી તરફ ભાજપ આગળ આવ્યું હતું. કારણ કે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કમલનાથથી વિપરીત તળિયાના નેતા છે, તેઓ લોકો અને ધારાસભ્યોનું સાંભળે છે અને બોલે છે. શિવરાજ સિંહ ચૌહાણની સરળ છબીએ કમલનાથની છબીને ઢાંકી દીધી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
