પતિ ઘણા દિવસો સુધી નાહતો ન હતો, પરફ્યુમ લગાવી રહેતો, પત્નીએ તલાક માંગ્યું
મધ્યપ્રદેશના ભોપાલમાં એક એવો કેસ સામે આવ્યો છે જે આશ્ચર્ય કરી દે તેવો છે. એક પત્નીએ તેના પતિને તલાક આપવાનાં કારણો આપ્યા છે તે જાણ્યા પછી તમે આશ્ચર્ય પામશો.
મધ્યપ્રદેશના ભોપાલમાં એક એવો કેસ સામે આવ્યો છે જે આશ્ચર્ય કરી દે તેવો છે. એક પત્નીએ તેના પતિને તલાક આપવાનાં કારણો આપ્યા છે તે જાણ્યા પછી તમે આશ્ચર્ય પામશો. 25 વર્ષીય પુરુષ અને 23 વર્ષની મહિલાનું એક વર્ષ પહેલા લગ્ન લગ્ન થયું હતું, પરંતુ હવે આ મહિલાએ તલાક લેવા કોર્ટમાં અરજી દાખલ કરી છે. મહિલાનું કહેવું છે કે તેનો પતિ ઘણા દિવસો સુધી નહાતો નથી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના આ ગામમાં મહિલાઓ કઢાવી દે છે ગર્ભાશય, ચોંકાવનારું છે કારણ
પતિના ના નાહવા અને શેવીંગ ના કરાવાના કારણે પરેશાન હતી પત્ની
ભોપાલ કૌટુંબિક અદાલતના સલાહકાર શોલ અવસ્થીએ આ કેસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે દંપતિએ બંને વચ્ચે પરસ્પર સંમતિ સાથે છૂટાછેડા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. પતિના 7-8 દિવસ સુધી ના નાહવા અને શેવીંગના કરાવાના કારણે પરેશાન મહિલાએ કોર્ટમાં તલાક માટે અરજી કરી. તલાક માંગતી મહિલા કહે છે કે ઘણા દિવસો સુધી ના નાહવા કારણે તેના પતિના શરીરમાંથી દુર્ગંધ આવે છે.
બંનેએ 6 મહિના સુધી અલગ રહેવું પડશે- કોર્ટ
અદાલતે મહિલાની અરજી પર કહ્યું છે કે જો તેઓ છૂટાછેડા ઇચ્છે તો તેમને આગામી 6 મહિના માટે અલગ રહેવું પડશે. શેલ અવસ્થિએ કહ્યું કે મહિલાનો આરોપ હતો કે પતિના ઘરમાં સમાન વ્યસ્થિત મુકવાની જગ્યાએ આમતેમ ફેલાયેલો રહે છે. મહિલાએ પણ આક્ષેપ કર્યો હતો કે તેનો પતિ ભવિષ્ય માટે પૈસા જમા કરતો નથી.
એક વર્ષ પહેલાં બંનેએ લગ્ન કર્યા હતા
શેલ અવસ્થિએ કહ્યું કે આ એક મહિના જૂનો કેસ છે. હિન્દુ કાયદાની પરસ્પર સંમતિના 13 બીના લગ્ન વિરામ હેઠળ કૌટુંબિક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, 6 મહિના પછી દંપતીને યોગ્ય રીતે છૂટાછેડા આપવામાં આવશે. પતિ સિંધી સમુદાયનો છે અને બેરાગઢમાં એક દુકાન ચલાવે છે જ્યારે મહિલા એક બ્રાહ્મણ છે. શેલ અવસ્થિએ કહ્યું કે તેમનું કોઈ બાળક નથી. મહિલાના પરિવારએ તેને રોકવા માટે ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેણી સહમત ન થઇ.