Maha Kumbh Fire : મહા કુંભ મેળામાં ટેન્ટમાં આગ લાગી, સીએમ યોગી ઘટના સ્થળે પહોંચ્યા
Maha Kumbh Fire : પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં ટેન્ટમાં આગ લાગી હોવાના અહેવાલ છે. આગને પગલે સીએમ યોગી ઘટનાસ્થળે પહોંચ્યા છે.
અહેવાલો અનુસાર, મહા કુંભ મેળામાં એક તંબુમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગ્યા બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

હાલ આગ પર કાબુ મેળવવા માટે રાહત કાર્ય ચાલી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિના અહેવાલ નથી અને આ ઘટનાને કારણે મેળામાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો.
પોલીસ જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથે આગની ઘટનાની નોંધ લેતા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આગને લઈને એક નિવેદન જારી કરીને કહ્યું કે, અગ્નિશામક ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સૂચના પર વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
મેળામાં લાગેલી આગની ઘટના અંગે માહિતી આપતાં પ્રયાગરાજ ડીએમ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે,સેક્ટર ૧૯માં ગીતા પ્રેસના તંબુમાં સાંજે 4.30 વાગ્યે આગ લાગી હતી. આગ થોડી જ વારમાં નજીકના 10 તંબુઓમાં ફેલાઈ ગઈ. પોલીસ અને વહીવટીતંત્ર ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આગ બુઝાવી દેવામાં આવી છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
મહા કુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું કે, ગીતા પ્રેસના તંબુમાં આગ લાગી હતી. કોઈ જાનહાનિના સમાચાર નથી. આગને કારણે થયેલા નુકસાનનો અંદાજ કાઢવા સર્વે કરવામાં આવી રહ્યો છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફક્ત તંબુઓ અને થોડી વસ્તુઓ બળીને ખાખ થઈ છે.












Click it and Unblock the Notifications
