Maha Kumbh Mela : મહા કુંભમાં યોગી સરકારના વીઆઈપી કલ્ચરને લઈને શંંકરાચાર્ય ભડક્યા, જાણો શું કહ્યું?
Maha Kumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલો મહા કુંભ મેળો યોજાય તે પહેલા જ વિવાદોમાં આવ્યો છે. મેળાને લઈને ઘણા વિવાદો વચ્ચે હવે નવો વિવાદ છેડાયો છે.
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ કુંભ મેળા માટે ઘણા મહિનાઓથી તૈયારી કરી રહી છે. આ તૈયારી વચ્ચે વીઆઈપી ઘાટને લઈને શંકરાચાર્ય ભડક્યા છે.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે યોગી સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. શંકરાચાર્યએ મહાકુંભમાં કેટલાક VIP ઘાટ બનાવવા મુદ્દે પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે.
તેમણે કહ્યું કે, જુઓ, તમે લોકોએ VIP ઘાટ બનાવી દીધો. અમને કહેવામાં આવ્યું કે આ એક VIP ઘાટ છે. માતાના ખોળામાં VIP કોણ હોય છે? જો એક માતાનો દીકરો પટાવાળો બને અને બીજી માતાનો દીકરો ન્યાયાધીશ બને તો શું માતાની નજરમાં બંને અલગ હશે? આપણા ધર્મ મુજબ VIP ઘાટ હોઈ શકે નહીં. શંકરાચાર્યજી પણ એ જ ઘાટ પર સ્નાન કરે છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આગળ કહ્યું કે, જ્યારે પણ તે અહીં આવે છે ત્યારે શંકરાચાર્યજી એ જ ઘાટ પર સ્નાન કરે છે. જે વ્યક્તિને તમે જીવનભર દલિત અને પછાત ગણાવો છો તે પણ એ જ ઘાટ પર સ્નાન કરે છે. કોણ પૂછે છે કે કોની જાતિ? . ચાલો આ કુંભમાં આવીએ અને જોઈએ કે આપણે ક્યારે જાતિના આધારે વિભાજિત થયા હતા, આપણે બધા એક હતા.
જણાવી દઈએ કે, મહાકુંભ 2025 માટે સંગમ કિનારે 12 કિલોમીટરના વિસ્તારમાં સ્નાન માટે ઘાટ બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રયાગરાજ મુલાકાત પહેલા તમામ ઘાટ પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને સીડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
મહિલાઓ માટે ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. મહાકુંભના ડેપ્યુટી મેળા અધિકારી અભિનવ પાઠકે જણાવ્યું કે 12 કિમી વિસ્તારમાં સફાઈ વ્યવસ્થા અને ઘાટનું નિર્માણ ચાલુ છે. સંગમ વિસ્તારના મુખ્ય ઘાટોને નવેસરથી વિકસાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
