Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘માયાવતીનું સમ્માન મારુ સમ્માન અને તેમનુ અપમાન મારુ અપમાન': અખિલેશ

લોકસભા ચૂંટણી 2019 માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનનું અધિકૃત એલાન થઈ ગયુ.

લોકસભા ચૂંટણી 2019 માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનનું અધિકૃત એલાન થઈ ગયુ. અખિલેશ યાદવ અને માયાવતીએ લખનઉમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આનુ અધિકૃત એલાન કર્યુ. પ્રેસ કોન્ફરન્સની શરૂઆત બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ પર હુમલાથી કરી અને કહ્યુ કે સપા-બસપાનું ગઠબંધન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘ ઉડાવવાનું છે. માયાવતીએ એલાન કર્યુ કે 38-38 સીટો પર સપા અને બસપા ચૂંટણી લડશે. અખિલેશ યાદવે ગઠબંધન માટે માયાવતીનો આભાર માન્યો અને ત્યારબાદ તેમણે ભાજપ પર હુમલો કર્યો. અખિલેશે કહ્યુ કે ધર્મની આડમાં દેશનો વિનાશ કરી રહેલી ભાજપ સાંભળી લો, અમે તેમનો સફાયો કરવા માટે ગઠબંધન કર્યુ છે.

અખિલેશ યાદવે કહ્યુ - ભાજપના શાસનનો અંત નિશ્ચિત

અખિલેશ યાદવે કહ્યુ - ભાજપના શાસનનો અંત નિશ્ચિત

અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપે સમાજના લોકોમાં ભાગલા પાડવાનું કામ કર્યુ છે. તેમણે કહ્યુ કે હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કરતા પહેલા જાતિ પૂછવામાં આવી રહી છે. અખિલેશ યાદવે કહ્યુ કે સમાજમાં નફરત અને ઉન્માદનું વાતાવરણ ફેલાવવામાં આવી રહ્યુ છે. સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ છે અને કાયદો વ્યવસ્થા કથળી રહી છે. અખિલેશે કહ્યુ કે સમાજનો દરેક વર્ગ ભાજપના શાસનથી પરેશાન અને ત્રસ્ત છે.

‘ભાજપના નેતાઓએ સત્તાના નશામાં ચૂર થઈને માયાવતી પર વાંધાજનક ટિપ્પણીઓ કરી'

‘ભાજપના નેતાઓએ સત્તાના નશામાં ચૂર થઈને માયાવતી પર વાંધાજનક ટિપ્પણીઓ કરી'

અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપ સરકારની કોશિશ મોટા ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવાની છે. અખિલેશ યાદવે કહ્યુ કે આ બસપા સાથે ગઠબંધન નથી પરંતુ ભાજપના શાસનના અંતની શરૂઆત છે. અખિલેશે કહ્યુ કે ભાજપના નેતાઓએ સત્તાના નશામાં ચૂર થઈને માયાવતી પર વાંધાજનક ટિપ્પણીઓ કરી. રાજ્યસભા ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે ભાજપે છળ કપટથી અમારા ઉમેદવારોને હરાવવાનું કામ કર્યુ.

માયાવતીનું સમ્માન મારુ સમ્માન છે - અખિલેશ

માયાવતીનું સમ્માન મારુ સમ્માન છે - અખિલેશ

અખિલેશ યાદવે કહ્યુ, ‘માયાવતીનું સમ્માન મારુ સમ્માન છે અને જો કોઈ તેમનુ અપમાન કરશે તો તે મારુ પણ અપમાન હશે.' ભાજપ પર હુમલો કરતા અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપ હુલ્લડો અને હિંસાનો સહારો લઈ શકે છે. કોઈ પણ હદ સુધી તે જઈ શકે છે. સમય સાથે બસપા અને સપા સંબંધ વધુ ગાઢ થશે. તેમણે કહ્યુ કે ગઠબંધન સાથે જ ભાજપના શાસનનો અંત નિશ્ચિત છે. એ પહેલા આજે માયાવતીએ કહ્યુ કે સપા-બસપાનું ગઠબંધન આગામી વિધાનસભા ચૂંટણીઓમાં પણ ચાલુ રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X