‘માયાવતીનું સમ્માન મારુ સમ્માન અને તેમનુ અપમાન મારુ અપમાન': અખિલેશ
લોકસભા ચૂંટણી 2019 માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનનું અધિકૃત એલાન થઈ ગયુ.
લોકસભા ચૂંટણી 2019 માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનનું અધિકૃત એલાન થઈ ગયુ. અખિલેશ યાદવ અને માયાવતીએ લખનઉમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આનુ અધિકૃત એલાન કર્યુ. પ્રેસ કોન્ફરન્સની શરૂઆત બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ પર હુમલાથી કરી અને કહ્યુ કે સપા-બસપાનું ગઠબંધન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘ ઉડાવવાનું છે. માયાવતીએ એલાન કર્યુ કે 38-38 સીટો પર સપા અને બસપા ચૂંટણી લડશે. અખિલેશ યાદવે ગઠબંધન માટે માયાવતીનો આભાર માન્યો અને ત્યારબાદ તેમણે ભાજપ પર હુમલો કર્યો. અખિલેશે કહ્યુ કે ધર્મની આડમાં દેશનો વિનાશ કરી રહેલી ભાજપ સાંભળી લો, અમે તેમનો સફાયો કરવા માટે ગઠબંધન કર્યુ છે.

અખિલેશ યાદવે કહ્યુ - ભાજપના શાસનનો અંત નિશ્ચિત
અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપે સમાજના લોકોમાં ભાગલા પાડવાનું કામ કર્યુ છે. તેમણે કહ્યુ કે હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કરતા પહેલા જાતિ પૂછવામાં આવી રહી છે. અખિલેશ યાદવે કહ્યુ કે સમાજમાં નફરત અને ઉન્માદનું વાતાવરણ ફેલાવવામાં આવી રહ્યુ છે. સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ છે અને કાયદો વ્યવસ્થા કથળી રહી છે. અખિલેશે કહ્યુ કે સમાજનો દરેક વર્ગ ભાજપના શાસનથી પરેશાન અને ત્રસ્ત છે.

‘ભાજપના નેતાઓએ સત્તાના નશામાં ચૂર થઈને માયાવતી પર વાંધાજનક ટિપ્પણીઓ કરી'
અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપ સરકારની કોશિશ મોટા ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવાની છે. અખિલેશ યાદવે કહ્યુ કે આ બસપા સાથે ગઠબંધન નથી પરંતુ ભાજપના શાસનના અંતની શરૂઆત છે. અખિલેશે કહ્યુ કે ભાજપના નેતાઓએ સત્તાના નશામાં ચૂર થઈને માયાવતી પર વાંધાજનક ટિપ્પણીઓ કરી. રાજ્યસભા ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે ભાજપે છળ કપટથી અમારા ઉમેદવારોને હરાવવાનું કામ કર્યુ.

માયાવતીનું સમ્માન મારુ સમ્માન છે - અખિલેશ
અખિલેશ યાદવે કહ્યુ, ‘માયાવતીનું સમ્માન મારુ સમ્માન છે અને જો કોઈ તેમનુ અપમાન કરશે તો તે મારુ પણ અપમાન હશે.' ભાજપ પર હુમલો કરતા અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપ હુલ્લડો અને હિંસાનો સહારો લઈ શકે છે. કોઈ પણ હદ સુધી તે જઈ શકે છે. સમય સાથે બસપા અને સપા સંબંધ વધુ ગાઢ થશે. તેમણે કહ્યુ કે ગઠબંધન સાથે જ ભાજપના શાસનનો અંત નિશ્ચિત છે. એ પહેલા આજે માયાવતીએ કહ્યુ કે સપા-બસપાનું ગઠબંધન આગામી વિધાનસભા ચૂંટણીઓમાં પણ ચાલુ રહેશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
