Maha kumbh 2025 : મહાકુંભમાં ફરી આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
Maha kumbh 2025 : મહાકુંભને કોઈનું ગ્રહણ લાગ્યુ હોય તેમ એક પછી એક અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. ભાગદોડમાં ઘણા લોકોના મોત બાદ એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે.
હવે ફરી એક વખત પ્રયાગરાજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સેક્ટર 18 અને 19 વચ્ચે ઘણા પંડાલ આગની ચપેટમાં આવીને ખાખ થઈ ગયા છે.

આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહાકુંભમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. જાન્યુઆરીમાં પણ ગેસ સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગવાની ઘટના થઈ હતી.
9 ફેબ્રુઆરીની રાતે અરૈલ તરફના સેક્ટર 23માં આગ લાગી હતી. આ ઘટનામાં પણ ફાયર બ્રિગેડે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની એક મુખ્ય ઘટના સેક્ટર 18માં શંકરાચાર્ય માર્ગ પાસે બની હતી, જ્યાં એક સાથે ઘણા પંડાલ સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયા હતા. આ ઘટનામાં પણ ફાયર બ્રિગેડના ઝડપી પ્રતિક્રિયાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.
મહાકુંભ જેવા વિશાળ આયોજનમાં આવું બનવું ગંભીર મુદ્દો છે. આ માટે યોગ્ય આગ પ્રતિકારક સાધનો અને ગાઈડલાઈનનું પાલન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
