Maha kumbh 2025 : મહાકુંભમાં ફરી આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
Maha kumbh 2025 : મહાકુંભને કોઈનું ગ્રહણ લાગ્યુ હોય તેમ એક પછી એક અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. ભાગદોડમાં ઘણા લોકોના મોત બાદ એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે.
હવે ફરી એક વખત પ્રયાગરાજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સેક્ટર 18 અને 19 વચ્ચે ઘણા પંડાલ આગની ચપેટમાં આવીને ખાખ થઈ ગયા છે.

આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહાકુંભમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. જાન્યુઆરીમાં પણ ગેસ સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગવાની ઘટના થઈ હતી.
9 ફેબ્રુઆરીની રાતે અરૈલ તરફના સેક્ટર 23માં આગ લાગી હતી. આ ઘટનામાં પણ ફાયર બ્રિગેડે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની એક મુખ્ય ઘટના સેક્ટર 18માં શંકરાચાર્ય માર્ગ પાસે બની હતી, જ્યાં એક સાથે ઘણા પંડાલ સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયા હતા. આ ઘટનામાં પણ ફાયર બ્રિગેડના ઝડપી પ્રતિક્રિયાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.
મહાકુંભ જેવા વિશાળ આયોજનમાં આવું બનવું ગંભીર મુદ્દો છે. આ માટે યોગ્ય આગ પ્રતિકારક સાધનો અને ગાઈડલાઈનનું પાલન ખૂબ જ મહત્વપૂર્ણ છે.












Click it and Unblock the Notifications
