Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Maha kumbh 2025 : મહાકુંભમાં ફરી આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

Maha kumbh 2025 : મહાકુંભને કોઈનું ગ્રહણ લાગ્યુ હોય તેમ એક પછી એક અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. ભાગદોડમાં ઘણા લોકોના મોત બાદ એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે.

હવે ફરી એક વખત પ્રયાગરાજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સેક્ટર 18 અને 19 વચ્ચે ઘણા પંડાલ આગની ચપેટમાં આવીને ખાખ થઈ ગયા છે.

Maha kumbh 2025

આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહાકુંભમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી. જાન્યુઆરીમાં પણ ગેસ સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગવાની ઘટના થઈ હતી.

9 ફેબ્રુઆરીની રાતે અરૈલ તરફના સેક્ટર 23માં આગ લાગી હતી. આ ઘટનામાં પણ ફાયર બ્રિગેડે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.

આગની એક મુખ્ય ઘટના સેક્ટર 18માં શંકરાચાર્ય માર્ગ પાસે બની હતી, જ્યાં એક સાથે ઘણા પંડાલ સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયા હતા. આ ઘટનામાં પણ ફાયર બ્રિગેડના ઝડપી પ્રતિક્રિયાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.

મહાકુંભ જેવા વિશાળ આયોજનમાં આવું બનવું ગંભીર મુદ્દો છે. આ માટે યોગ્ય આગ પ્રતિકારક સાધનો અને ગાઈડલાઈનનું પાલન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X