Maharashtra : નાંદેડની સરકારી હોસ્પિટલમાં દવાના અભાવે 24 કલાકમાં 24 દર્દીના મોત
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને મહારાષ્ટ્રની શિંદે સરકાર રાજનીતિક તોડફોડમાં વ્યસ્ત છે ત્યારે તેનો ભોગ મહારાષ્ટ્રના ગરીબ લોકોને બનવુ પડી રહ્યુ છે. અહેવાલો અનુસાર, નાંદેડમાં દવાના અભાવે 24 લોકોના મોત થયા છે.
અહેવાલો અનુસાર, નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત થયા છે. આ મૃતકોમાં 12 નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સમાચારે લોકોને હચમચાવ્યા છે.

સમાચાર અનુસાર, આ ઘટના શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલની છે. અધિકારીઓ અનુસાર, આ મોત દવાઓની અછતને કારણે થયા છે. મૃતકોમાં 12 પુખ્ત, 6 નવજાત છોકરીઓ અને 6 નવજાત છોકરાઓનો સમાવેશ થાય છે. આ લોકો વિવિધ પ્રકારના રોગોથી પીડિત હતા.
હોસ્પિટલના ડીન અનુસાર, આ હોસ્પિટલ માત્ર એક ત્રીજા સ્તરનું સાર સંભાળ કેન્દ્ર છે. આ વિસ્તારમાં 70-80 કિમીની ત્રિજ્યામાં અન્ય કોઈ આરોગ્ય કેન્દ્ર નથી, તેથી મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ક્યારેક સંસ્થાના બજેટ કરતાં વધી જાય છે, આ સ્થિતિમાં તેમને દવાઓની અછતનો સામનો કરવો પડે છે. તેમણે વધુમાં કહ્યું કે, હોસ્પિટલના ઘણા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે અને તેનાથી પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે.
ડીને આગળ કહ્યું કે, હોસ્પિટલે હેફકાઈન નામની સંસ્થા પાસેથી દવાઓ ખરીદવાની હતી પરંતુ એવું થયું નહીં. સ્થાનિક દુકાનોમાંથી દવાઓ ખરીદીને દર્દીઓને આપવામાં આવી હતી.
ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કોંગ્રેસે હમલાવર જોવા મળી રહી છે અને મહારાષ્ટ્ર સરકારની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાંના દર્દીઓની ખબર પૂછી હતી.
આ સિવાય રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પણ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટી પ્રવક્તા વિકાસ લવાંડે ટ્વિટર પર લખ્યું છે, કે દવાઓનો પુરવઠો ન મળવાને કારણે નાંદેડની એક સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોત થયા છે. તહેવારો અને અન્ય કાર્યક્રમોની જાહેરાતો માટે સરકારને શરમ આવવી જોઈએ.
શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, કૃપા કરીને તેને મૃત્યુ ન કહો, રાજ્ય સરકારની સંપૂર્ણ બેદરકારીને કારણે આ લાપરવાહીથી થયેલી હત્યા છે. રાજ્ય સરકાર કાર્યક્રમો અને વિદેશ પ્રવાસોના આયોજનમાં વ્યસ્ત છે. તે ભૂલી ગયા છે કે તેમનું મૂળ કામ રાજ્યની સેવા કરવાનું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
