Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Maharashtra : નાંદેડની સરકારી હોસ્પિટલમાં દવાના અભાવે 24 કલાકમાં 24 દર્દીના મોત

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને મહારાષ્ટ્રની શિંદે સરકાર રાજનીતિક તોડફોડમાં વ્યસ્ત છે ત્યારે તેનો ભોગ મહારાષ્ટ્રના ગરીબ લોકોને બનવુ પડી રહ્યુ છે. અહેવાલો અનુસાર, નાંદેડમાં દવાના અભાવે 24 લોકોના મોત થયા છે.

અહેવાલો અનુસાર, નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત થયા છે. આ મૃતકોમાં 12 નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સમાચારે લોકોને હચમચાવ્યા છે.

Nanded Government Hospital

સમાચાર અનુસાર, આ ઘટના શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલની છે. અધિકારીઓ અનુસાર, આ મોત દવાઓની અછતને કારણે થયા છે. મૃતકોમાં 12 પુખ્ત, 6 નવજાત છોકરીઓ અને 6 નવજાત છોકરાઓનો સમાવેશ થાય છે. આ લોકો વિવિધ પ્રકારના રોગોથી પીડિત હતા.

હોસ્પિટલના ડીન અનુસાર, આ હોસ્પિટલ માત્ર એક ત્રીજા સ્તરનું સાર સંભાળ કેન્દ્ર છે. આ વિસ્તારમાં 70-80 કિમીની ત્રિજ્યામાં અન્ય કોઈ આરોગ્ય કેન્દ્ર નથી, તેથી મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ક્યારેક સંસ્થાના બજેટ કરતાં વધી જાય છે, આ સ્થિતિમાં તેમને દવાઓની અછતનો સામનો કરવો પડે છે. તેમણે વધુમાં કહ્યું કે, હોસ્પિટલના ઘણા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે અને તેનાથી પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે.

ડીને આગળ કહ્યું કે, હોસ્પિટલે હેફકાઈન નામની સંસ્થા પાસેથી દવાઓ ખરીદવાની હતી પરંતુ એવું થયું નહીં. સ્થાનિક દુકાનોમાંથી દવાઓ ખરીદીને દર્દીઓને આપવામાં આવી હતી.

ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કોંગ્રેસે હમલાવર જોવા મળી રહી છે અને મહારાષ્ટ્ર સરકારની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાંના દર્દીઓની ખબર પૂછી હતી.

આ સિવાય રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પણ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટી પ્રવક્તા વિકાસ લવાંડે ટ્વિટર પર લખ્યું છે, કે દવાઓનો પુરવઠો ન મળવાને કારણે નાંદેડની એક સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોત થયા છે. તહેવારો અને અન્ય કાર્યક્રમોની જાહેરાતો માટે સરકારને શરમ આવવી જોઈએ.

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, કૃપા કરીને તેને મૃત્યુ ન કહો, રાજ્ય સરકારની સંપૂર્ણ બેદરકારીને કારણે આ લાપરવાહીથી થયેલી હત્યા છે. રાજ્ય સરકાર કાર્યક્રમો અને વિદેશ પ્રવાસોના આયોજનમાં વ્યસ્ત છે. તે ભૂલી ગયા છે કે તેમનું મૂળ કામ રાજ્યની સેવા કરવાનું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X