ઉદ્ધવ ઠાકરેએ દાવો કરી કહ્યુ, 50-50ની ફોર્મ્યુલા પર ટકી રહીશુ, CM કોણ બનશે એ મહત્વનો સવાલ
શિવસેનાએ કહ્યુ કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે એ મોટો સવાલ છે કારણકે મુખ્યમંત્રીનો મુદ્દો મહત્વનો છે.
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ ભલે ભાજપ-શિવસેનાની જોડી જીતી ગઈ હોય પરંતુ ભાજપ માટે પરિણામો ચોંકાવનારા છે. ખુદ ભાજપને આ પરિણામોની આશા નહોતી. આ પરિણામોમાં ભાજપની સીટો સમેટાઈ ચૂકી છે. વળી, શિવસેનાએ આંખો પહોળી કરી દીધી. મહારાષ્ટ્ર સરકારમાં ઘણા મંત્રી પોતાની સીટ ગુમાવી ચૂક્યા છે જેમાં પંકજા મુંડે પણ શામેલ છે. કુલ 6 મંત્રીઓએ પોતાની સીટ ગુમાવી દીધી છેજે ભાજપ માટે મોટો ઝટકો રહ્યા. વળી, શિવસેનાએ કહ્યુ કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રીઓએ પોતાની સીટ ગુમાવી દીધી જે ભાજપ માટે મોટો ઝટકો રહી. વળી, શિવસેનાએ કહ્યુ કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે એ મોટો સવાલ છે કારણકે મુખ્યમંત્રીનો મુદ્દો મહત્વનો છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે અમે ભાજપ સાથે છીએ. અમે 50-50ની ફોર્મ્યુલા પર પાછળ નહિ હટીએ. તેમણે કહ્યુ કે દર વખતે ભાજપનો પ્રસ્તાવ નહિ માનીએ. તેમણે કહ્યુ કે આ જનાદેશ આંખો ખોલવાનો છે. મુખ્યમંત્રી કોના હશે તે મહત્વનો સવાલ છે. તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી પદ માટે 50-50ની ફોર્મ્યુલા નક્કી છે જેના પર તે ઝૂકવાના નથી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ જે લોકો ચૂંટાઈને આવ્યા છે તેમણે સારુ કામ કરવાનુ રહેશે. વળી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે ભાજપ અને શિવસેના વચ્ચે જે નક્કી થયુ છે અમે તેના હિસાબથી આગળ વધીશુ.
Shiv Sena chief Uddhav Thackeray: The 50-50 formula was decided. Discussions should be held and then it should be decided that who would be the Chief Minister (of Maharashtra). pic.twitter.com/YuSvKDZfhe
— ANI (@ANI) 24 October 2019












Click it and Unblock the Notifications
