મહારાષ્ટ્ર: વિપક્ષમાં હોવા છતા બીજેપીએ MLC ચૂંટણીમાં બતાવ્યો દમ, ફડણવીસે કહી આ વાત
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત પર ખુશી વ્યક્ત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા ફડણવીસે એમએલસીની 6માંથી 4 બેઠકો જીત્યા બાદ કહ્યું કે આ રાજ્યમાં પાર્ટીના દરેક કા
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત પર ખુશી વ્યક્ત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા ફડણવીસે એમએલસીની 6માંથી 4 બેઠકો જીત્યા બાદ કહ્યું કે આ રાજ્યમાં પાર્ટીના દરેક કાર્યકર્તાની જીત છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ દ્વારા પાર્ટીએ ફરી એકવાર પોતાની તાકાત બતાવી છે. રાજ્યમાં 10 ડિસેમ્બરે વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિપક્ષમાં હોવા છતાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભાજપે 4 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસ અને શિવસેનાએ એક-એક બેઠક જીતી છે.
ફડણવીસે ચૂંટણી પરિણામોને લઈને અનેક ટ્વિટ કરી છે. જીતેલા ઉમેદવારોને અભિનંદન આપતાં તેમણે લખ્યું- મહારાષ્ટ્ર વિધાન પરિષદની કુલ 6 બેઠકોમાંથી ભાજપે 4 બેઠકો જીતી છે. આ જીત ખૂબ જ ખાસ છે, દરેક કાર્યકર્તાની મહેનતનું પરિણામ છે. મહારાષ્ટ્ર ભાજપે નાગપુર અને અકોલાની જીત સાથે ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી છે.
મહારાષ્ટ્રમાં નાગપુર અને અકોલામાં MSC ચૂંટણીમાં ભાજપે બંને બેઠકો જીતી છે. અહીં સત્તાધારી શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધનને હારનો સામનો કરવો પડ્યો હતો. અકોલામાં ભાજપના વસંત ખંડેલવાલની જીત થઈ છે. નાગપુરમાં ચંદ્રશેખર બાવનકુલે 176 મતોથી જીત્યા. ભાજપના એમએલસી ઉમેદવાર ચંદ્રશેખર બાવનકુલેએ મંગળવારે નાગપુરથી કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર મંગેશ દેશમુખને હરાવીને રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી જીતી હતી.
અકોલા બુલઢાણા વાશિમ સ્થાનિક મતવિસ્તારમાં, ભાજપના ઉમેદવાર વસંત ખંડેલવાલે શિવસેનાના ઉમેદવાર ગોપીકિશન બજોરિયાને 109 મતોથી હરાવ્યા હતા. મુંબઈથી શિવસેનાના સુનીલ શિંદે અને ભાજપના રાજહંસ સિંહ બિનહરીફ ચૂંટાયા હતા. કોલ્હાપુરથી કોંગ્રેસના ઉમેદવાર અને ગૃહ રાજ્ય મંત્રી સતેજ પાટીલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. ભાજપના અમરીશ પટેલ ધુલે-નંદુરબારથી MLC તરીકે બિનહરીફ ચૂંટાયા છે.