લૉકડાઉન હટાવી દઈશ પરંતુ મોતની જવાબદારી કોણ લેશેઃ ઉદ્ધવ ઠાકરે
કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં લૉકડાઉન ના હટાવવા વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે.
કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં લૉકડાઉન ના હટાવવા વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે મહારાષ્ટ્રથી ઉતાવળમાં લૉકડાઉન ન હટાવવાનો નિર્ણય યોગ્ય છે અને તે આના પર મજબૂતીથી અડગ છે. આ સાથે જ ઉદ્ધવે કહ્યુ કે જે લોકો લૉકડાઉન હટાવવાની માંગ કરી રહ્યા છે, શું તે લોકો કોરોના વાયરસથી થઈ રહેલા મોતની જવાબદારી લેેશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સતત લૉકડાઉન ચાલુ રાખવા અંગે સીએમ ઉદ્ધવ ઠાકરેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

લૉકડાઉન વિશે હાલમાં જ એનસીપી પ્રમુખ શરદ પવારે પણ ઉદ્ધવ ઠાકરને કહ્યુ હતુ કે તે રાજ્યમાં વેપાર અને ઉદ્યોગ ધંધાથી સંબંધિત પ્રતિષ્ઠાનોે ખોલવાની પ્રક્રિયા શરૂ કરો. શિવસેના મુખપત્ર સામનાને આપેલા ઈન્ટરવ્યુમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે કોરોના વાયરસ સાથે ચાલવુ સરળ કામ નથી અને આના માટે અર્થવ્યવસ્થા તેમજ જનતાના આરોગ્ય વચ્ચે સંતુલન જાળવવુ ખૂબ જરૂરી છે.












Click it and Unblock the Notifications
