સુપ્રીમ કોર્ટ પહોંચ્યું મહારાષ્ટ્રનું રાજકીય સંકટ, 3 જજની બેંચ સુનાવણી કરી રહી છે
સુપ્રીમ કોર્ટ પહોંચ્યું મહારાષ્ટ્રનું રાજકીય સંકટ, 3 જજની બેંચ સુનાવણી કરી રહી છે
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભાજપે એનસીપી નેતા અજીત પવાર સાથે મળી સરકાર બાવી લીધી છે. આ સરકારની ગઠન બાદ મુશ્કેલી વધી ગઈ છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અરજી દાખલ કરી આ સરકાર ગઠનની રીત પર સવાલ ઉઠાવયા છે અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
આજે સવારે 11.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજની બેંચ આ મામલે સુનાવણી કરશે. પોતાની અરજીમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના એ આદેશને રદ્દ કરવાની માંગ કરી છે, જેમાં તેમણે પ્રદેશમાં સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રિત કર્યા હતા. જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચ આ મામલે સુનાવણઈ કરશે.
પોતાની અરજીમાં ત્રણેય પાર્ટીઓએ દાવો કર્યો છે કે 288 વિધાનસભા સીટવાળી વિધાનસભા ચૂંટણીમાં 154 ધારાસભ્યોનું તેમની પાસે સમર્થન છે. હવે ત્રણેય પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો કે તેઓ આ મામલે જલદી સુનાવણઈ કરે. તેમણે અપીલ કરી છે કે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરવામાં આવે અને તરત જ ફ્લોર ટેસ્ટ કરવામાં આવે.
ફડણવીસ સરકારની રચનાના વિરોધમાં શિવસેના અને કોંગ્રેસ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ