Maharashtra Election 2024 : મહાયુતિ કે મહા વિકાસ અઘાડી? જાણો મહારાષ્ટ્રના દલિત વોટ કોને ફાયદો કરાવશે?
Maharashtra Election 2024 : દલિત વિરોધી પાર્ટી હોવાનો આરોપ બીજેપીને ભારે પડ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં ફરી એક વખત દલિત વોટ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
2024 લોકસભા ચૂંટણીમાં સંવિધાન ખતરામાં હોવાનો નારો બીજેપી અને સહયોગી પાર્ટીઓ માટે મુસિબત બન્યો હતો. આ મુદ્દાએ બીજેપીને 240 સીટો પર લાવીને ઉભી રાખી દીધી હતી.

રાજ્યની 48 લોકસભા બેઠકોના પરિણામોનું વિશ્લેષણ દર્શાવે છે કે દલિતોના મોટાભાગના વોટ મહા વિકાસ અઘાડીને મળ્યા. આ જ કારણ છે કે ગઠબંધન મોટી જીત મેળવવામાં સફળ રહ્યું.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી જેવી સ્થિતિ ટાળવા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન, શિવસેનાના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને NCP તરફથી નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સક્રિય છે. તમામ દલિતોનો ભ્રમ દુર કરવાની કોશિશ કરી રહ્યાં છે.
લોકસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીએ રાજ્યમાં 30 બેઠકો જીતીને બીજેપીને શરમજનક સ્થિતીમાં મુકી દીધી હતી. મહાયુતિએ માત્ર 17 બેઠકો જીતી હતી. 48મી બેઠક પણ વિપક્ષી ગઠબંધન દ્વારા સમર્થિત ઉમેદવારને ગઈ છે.
ઈન્ડિયા બ્લોકની આગેવાની હેઠળની કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની NCP તે સમયે બંધારણ અને અનામત ખતરામાં હોવાના દાવાને વોટમાં બદલવામાં સફળ રહી હતી.
દલિત મતદારોના મનમાં વિપક્ષના દાવા અંગેનો ડર કેટલી હદે વસી ગયો હતો તેના પરથી જોઈ શકાય છે કે મહારાષ્ટ્રની 88 વિધાનસભા મતવિસ્તારોમાંથી જ્યાં દલિત મતદારોની સંખ્યા 15%થી વધુ છે તે 51 બેઠકો પર મહા વિકાસ અઘાડીને બહુમતિ મળી છે. લોકસભાની ચૂંટણીમાં એમવીએ લીડ મેળવી હતી. જ્યારે મહાયુતિ માત્ર 32 સીટો પર આગળ હતી.
2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 88 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ અને તેના સહયોગી શિવસેનાએ 46 બેઠકો જીતી હતી અને કોંગ્રેસ અને NSP માત્ર 33 બેઠકો પર જ સફળતા મેળવી શક્યા હતા.
લોકસભા ચૂંટણીમાં બી.આર. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી હોવા છતાં બંધારણ બદલવાનો અને અનામત ખતમ કરવાનો ડર દલિતોના મનમાં એટલો ઘર કરી ગયો કે MVA જીતી ગઈ અને VBA પણ ફેલ રહી.
જો કે આમાંથી મહાર જેવી કેટલીક જાતિઓએ રાજકીય, શૈક્ષણિક અને આર્થિક રીતે સૌથી વધુ પ્રગતિ કરી છે. મહારોની સરખામણીમાં અન્ય નાની દલિત જાતિઓ હજુ પણ વધુ પછાત છે.
મહારાષ્ટ્રના દલિતોમાં આંબેડકરી જાતિઓ શરૂઆતથી પ્રભાવશાળી રહી છે, જેમાં મહાર સૌથી આગળ છે. બી.આર.આંબેડકરના પ્રભાવ હેઠળ મહાર સમુદાય બૌદ્ધ બન્યો છે.
દલિતો લગભગ 40% વસ્તી ધરાવે છે જેઓ બૌદ્ધ (મહાર) બન્યા છે, તેઓ સામાન્ય રીતે ભાજપ અને તેની સાથે જોડાયેલા પક્ષોનો મુખ્ય વિરોધ કરતા જોવા મળે છે.
ભાજપ અને તેના સહયોગીઓની નવી રણનીતિમાં માત્ર બાકીની નાની દલિત જાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે. આ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનુસૂચિત જાતિઓમાં પેટા વર્ગીકરણની ચર્ચા શરૂ કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે મહાર જેવી પ્રભાવશાળી દલિત જાતિઓ પણ આનો વિરોધ કરી રહી છે.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
