Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી કેમ હારી? જાણો આંતરિક સર્વેમાં શું કારણો મળ્યા?
Maharashtra Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ મહા વિકાસ અઘાડીના અસ્તિત્વ પર સવાલ ઉભા કરી દીધા છે.
આ પરિણામ બાદ લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી કોગ્રેસ પણ ચૌકી ગઈ છે. હવે કોંગ્રેસે આંતરિક સર્વે કરાવીને હારના કારણો તપાસ્યા છે.

કોંગ્રેસનો આંતરિક સર્વે જમીની વાસ્તવિકતાઓ દર્શાવે છે કે મહાયુતિની યોજનાઓ અને વ્યૂહરચનાઓએ મતદારોના મોટા વર્ગને આકર્ષ્યા. કોંગ્રેસે તેની ચૂંટણી વ્યૂહરચના પર પર વિચારવાની જરૂર છે.
કોંગ્રેસના આંતરિક સર્વેમાં હારના કારણો
- ઓક્ટોબરમાં 103 બેઠકો પર હાથ ધરવામાં આવેલા આંતરિક સર્વેમાં મહા વિકાસ અઘાડી માટે ચિંતાજનક સંકેતો મળ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં 54 બેઠકો પર આગળ વધવા સામે મહા વિકાસ અઘાડી માત્ર 44 બેઠકો પર જ આગળ હતી. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ 49 બેઠકો પર લીડ મળી હતી.
- બીજી તરફ રાજ્ય સરકારની લડકી બહન યોજનાને કારણે મહિલા મતદારોનો ઝોક મહાયુતિ તરફ વધ્યો. સર્વેમાં 82% પરિવારોએ યોજનાના લાભાર્થીઓ હોવાનો અહેવાલ આપ્યો અને 17% લોકોએ સ્વીકાર્યું હતું કે યોજનાએ તેમની મતદાન પસંદગીઓ બદલી છે.
- જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની લડકી બહન યોજનામાં મહિલાઓને દર મહિને 1,500 થી વધારીને 2,100 રૂપિયા સહાય આપવામાં આવે છે. MVA એ મહિલાઓને 3,000 રૂપિયાની માસિક સહાય આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ચૂંટણી પ્રચારમાં આ યોજના અસરકારક ન રહી.
- સર્વે અનુસાર, મુસ્લિમ મતદારો એકમાત્ર એવો ભાગ હતો જેને એનડીએને સમર્થન આપ્યુ. OBC, SC, ST અને સામાન્ય શ્રેણી જેવી અન્ય તમામ શ્રેણીઓમાં મહાયુતિએ MVAને પાછળ છોડી દીધું.
- કેટલાક નેતાઓનું માનવું છે કે EVM પર હારનો આરોપ લગાવવો એ રાષ્ટ્રીય અને રાજ્ય નેતૃત્વ માટે ચહેરો બચાવવાનો પ્રયાસ છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી ઈવીએમ સામે ઝુંબેશને વધુ તીવ્ર બનાવવાની અને બેલેટ પેપર પરત કરવાની હાકલ કરતો ઠરાવ પસાર કરવાની યોજના બનાવી છે.
- કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે પાર્ટીને પહેલાથી જ હારનો અંદાજ હતો, પરંતુ હારનું પ્રમાણ ચોંકાવનારું છે. મહિલા મતદારોમાં મહાયુતિના સમર્થનમાં ઝડપી વધારો MVAની નબળી વ્યૂહરચનાની પોલ ખોલે છે. મહાયુતિએ યુવાનો અને અન્ય વર્ગોમાં પણ ફાયદો ઉઠાવ્યો.












Click it and Unblock the Notifications
