Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં અજીત પવાર ફરી વખત મહાયુતિ માટે હારનું કારણ બનશે? જાણો શું કહ્યું?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજનીતિ ચરમ પર છે. અહીં મહા વિકાસ અઘાડી સામે મહાયુતિ નબળુ પડતું જોવા મળી રહ્યું છે.
એક તરફ મહેલાથી જ મહા વિકાસ અઘાડી મજબુત છે તો બીજી તરફ મહાયુતિ માટે અજીત પવાર ગળાની ફાંસ બની રહ્યાં છે. ઘણા નિષ્ણાતો માને છે કે આ વખતે મહાયુતિ માટે અજીત પવાર હારનું કારણ બની શકે છે.

ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી મહાયુતિમાં સામેલ અજિત પવાર વિશે ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પહેલા અજિત પવારને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કિંગમેકર ગણાવવામાં આવી રહ્યા છે અને બીજી તરફ એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તે મહાયુતિ માટે હારનું કારણ બનશે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અજિત પવારે આ તમામ મુદ્દાઓ પર વાત કરી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અજિત પવાર શું હશે તેનો જવાબ આપતા અજિત પવારે કહ્યું કે, મને કિંગમેકર કે સ્પૉઇલર બનવામાં રસ નથી. અમે જે સરકારી યોજનાઓ શરૂ કરી છે તેને લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છીએ, અમારો એકમાત્ર ઉદ્દેશ્ય ફરીથી મહાયુતિની સરકાર બનાવવાનો છે. કોઈપણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં ફરીથી મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે.
અજિત પવારે યોગી આદિત્યનાથના બટેંગે તો કટેંગે જેવા ઝેરી નિવેદનનો પણ વિરોધ કર્યો છે. અજિત પવારે કહ્યું કે, માત્ર મારા NCP નેતાઓ અને હું જ નહીં, પરંતુ પંકજા મુંડે અને પૂનમ મહાજન સહિતના અન્ય બીજેપી નેતાઓએ આ નિવેદનનો વિરોધ કર્યો છે.
અજીત પવારે કહ્યું કે, આ યુપી નથી. તે ઉત્તરમાં કામ કરી શકે છે, પરંતુ મહારાષ્ટ્રમાં નહીં. આપણે આંબેડકરના સિદ્ધાંતોનું પાલન કરવાનું છે.
જણાવી દઈએ કે, ભાજપના વિરોધ છતાં નવાબ મલિકને માનખુર્દ-શિવાજી નગર મતવિસ્તારમાંથી એનસીપીના ઉમેદવાર બનાવવા પર અજિત પવારે કહ્યું કે કોઈપણ વ્યક્તિ આરોપ લગાવી શકે છે, પરંતુ તેનાથી દાવાઓ સાચા નથી થતા.
જણાવી દઈએ કે, નવાબ મલિકને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવીને ભાજપે મહાયુતિની ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે નવાબ મલિક જ્યાં સુધી કોર્ટમાં તેમની સામેના તમામ આરોપોમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી તે મહાગઠબંધનમાં સ્થાન ન મેળવી શકે.
બીજી તરફ ભાજપના વિરોધ છતાં અજિત પવારે નવાબ મલિકને માનખુર્દ શિવાજી નગરથી અને તેમની પુત્રી સના મલિક શેખને અનુશક્તિ નગર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નવાબ મલિક અણુંશક્તિ નગરના વર્તમાન ધારાસભ્ય છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
