ભાજપ ધારાસભ્ય દળની બેઠક આજે, અમિત શાહે રદ કર્યો મહારાષ્ટ્રનો પ્રવાસ
શિવસેના તરફથી સતત તીખી નિવેદનબાજી ચાલુ છે જેનાથી નારાજ થઈને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પોતાનો મહારાષ્ટ્ર પ્રવાસ રદ કરી દીધો છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને સીએમ પદ માટે શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલુ છે, શિવસેના તરફથી સતત તીખી નિવેદનબાજી ચાલુ છે જેનાથી નારાજ થઈને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પોતાનો મહારાષ્ટ્ર પ્રવાસ રદ કરી દીધો છે. આજે તેમની મુંબઈમાં ભાજપ ધારાસભ્યો સાથે બેઠક થવાની હતી પરંતુ હવે તે આજની બેઠકમાં શામેલ નહિ થાય આની પુષ્ટિ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કરી છે.
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં અમિત શાહ નહિ થાય શામેલ
આ પહેલા શિવસેના અને ભાજપ વચ્ચે મંગળવારે સાંજે પહેલેથી નક્કી બેઠક પણ ન થઈ શકી. સરકારની રચના માટે બંને દળો વચ્ચે થનારી બેઠકને ઉદ્ધવ ઠાકરે તરફથી ફડણવીસના નિવેદન બાદ રદ કરવામાં આવી જેમાં તેમણે કહ્યુ છે કે શિવસેના સાથે અઢી-અઢી વર્ષ સીએમ પદ માટે ક્યારેય કોઈ ડીલ નહોતી થઈ.
ફડણવીસે કહ્યુ, અઢી-અઢી વર્ષ જેવી કોઈ ડીલ નથી
શિવસેનાની અઢી વર્ષ માટે સીએમ પદની માંગ માટે મંગળવારે ફડણવીસે કહ્યુ છે કે ભાજપની શિવસેના સાથે આવી કોઈ ડીલ નથી. શિવસેનાનો દાવો છે કે આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા 50-50 ફોર્મ્યુલા હેઠળ બંને દળો સાથે અઢી-અઢી વર્ષ સુધી સીએમ પદ માટે ઠાકરે, ભાજપ અધ્યક્ષ અમિત શાહઅને ફડણવીસ વચ્ચે સંમતિ બની હતી. એવામાં અત્યારે તે ત્યારે જ ભાજપને સરકાર બનાવવા માટે સમર્થન આપશે જ્યારે તેને લેખિતમાં અઢી વર્ષ બાદ સીએમ પદ આપવાની વાત ભાજપ કહેશે.
આ પણ વાંચોઃ દિવાળી પર હૉટ અભિનેત્રીના લહેંગામાં લાગી આગ, માંડ માંડ બચી, જુઓ Pics
શિવસેના મુખ્યમંત્રી પદ માટે અડી છે
નરેન્દ્ર
સિંહ
તોમર
કેન્દ્રીય
મંત્રી
નરેન્દ્ર
સિંહ
તોમર
અને
ભાજપના
રાષ્ટ્રીય
ઉપાધ્યક્ષ
અવિનાશ
રાય
ખન્નાને
મુંબઈમાં
આજે
આયોજિતથનારી
ભાજપ
ધારાસભ્ય
દળની
બેઠક
માટે
પાર્ટીએ
કેન્દ્રીય
પર્યવેક્ષક
નિયુક્ત
કરવામાં
આવ્યા
છે.
ઉલ્લેખનીય
છે
કે
મહારાષ્ટ્રની
288
વિધાનસભા
સીટો
પર
ચૂંટણીમાં
ભાજપના
105
અને
શિવસેનાના
56
ધારાસભ્ય
જીત્યા
છે.
કોંગ્રેસને
44
અને
એનસીપીને
54
સીટો
પર
જીત
મળી
છે.
બહુમત
માટે
અહીં
145
સીટોની
જરૂરિયાત
છે.
એવામાં
સ્પષ્ટ
છે
કે
કોઈ
એક
પાર્ટી
પોતાના
દમ
પર
સરકાર
બનાવ
શકતી
નથી.
ભાજપ-શિવસેના
મળીને
ચૂંટણી
લડી
છે
અને
બંને
દળોની
સીટોના
બહુમતના
આંકડાથી
વધુ
છે
પરંતુ
પરિણામ
આવ્યા
બાદથી
શિવસેના
અઢી
અઢી
વર્ષ
માટે
મુખ્યમંત્રી
પદ
માટે
અડી
છે
પરંતુ
ભાજપ
આના
માટે
તૈયાર
નથી.