મુન્નાભાઇને વારંવાર રજાની તપાસ કરશે મહારાષ્ટ્ર સરકાર
મુંબઇ, 26 ડિસેમ્બર: ગેરકાનુની હથિયાર રાખવાના મામલામાં જેલમાં સજા કાપી રહેલા ફિલ્મ અભિનેતા સંજય દત્તને વારંવાર જેલમાંથી મળતા જામીન પર મહારાષ્ટ્ર સરકારે તપાસ બેસાડી દીધી છે. રાજ્યના ગૃહ વિભાગે આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે. નોંધનીય છે કે દત્તને મંગળવારે જ 14 દિવસ માટે ફરલો એટલે કે સજામાંથી રજા મળી હતી.


જાણીતા વકીલ આભા સિંહે તપાસના આદેશનું સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું કે સંજય દત્તને હંમેશા સેલિબ્રિટી સ્ટેટસનો ફાયદો મળ્યો છે. ઘણા કેદીયોની અરજી મહીનાઓ સુધી પડી રહે છે પરંતુ તેમની કોઇ સુનવણી નથી થતી. જો નિયમોનું ઉલ્લંઘન કરીને ફરલો આપવામાં આવી હશે તો સંબંધિત અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
