નાસિકમાં મુસાફરો ભરેલી બસમાં લાગી આગ, 8ના મોત, 32 ઘાયલ

મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે મોડી રાતે બસમાં આગ લાગ્યા બાદ મોટી દૂર્ઘટના બની છે.

મુંબઈ નાસિક બસ દૂર્ઘટનાઃ મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે મોડી રાતે બસમાં આગ લાગ્યા બાદ મોટી દૂર્ઘટના બની છે. નાસિકસમાં અકસ્માત થયા બાદ બસમાં આગ લાગવાથી 8 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. 32 લોકો ઘાયલ થયાના સમાચાર છે. શબ અને ઘાયલ લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. હાલમાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવી દીધી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઑપરેશન કર્યુ છે.

nashik

નાસિક પોલીસે શનિવારે સવારે કહ્યુ, 'નાસિકમાં કાલે રાતે(શુક્રવાર 7 ઓક્ટોબર) એક બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 8 લોકોના મોત થઈ ગયા. શબ અને ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અમે હજુ પણ ડૉક્ટરની પુષ્ટિ સાથે મોતની સાચી સંખ્યા જાણવાની કોશિશ કરી રહ્યા છે.'

નાસિકના ઔરંગાબાદ રોડ પર એક કંટેનર સાથે ટકરાયા બાદ બસમાં આગ લાગી ગઈ હતી. ઘાયલોને ઈલાજ માટે હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. સામે આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે જ્યારે ફાયર બ્રિગેડના અધિકારીઓ આગ ઓલવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે બસમાંથી ધૂમાડા નીકળી રહ્યા છે. પોલીસનુ કહેવુ છે કે તે હજુ પણ મોતની સંખ્યા જાણવાની કોશિશ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X