Maharashtra New CM : મહારાષ્ટ્રના સીએમને લઈને અજીત પવારે પત્તા ખોલ્યા, જાણો કોને મળશે ખુરશી?
Maharashtra CM News : મહારાષ્ટ્રમાં નવા સીએમ કોણ બનશે તેને લઈને કોકડું ગુચવાયુ છે. અટકળોનું બજાર ગરમ છે ત્યારે અજીત પવારે પત્તા ખોલ્યા છે.
અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર 5 ડિસેમ્બરે શફથ લઈ શકે છે. મુંબઈના આઝાદ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નવા સીએમ શપથ લેશે.

અજીત પવારે જણાવ્યુ કે, મહારાષ્ટ્રના આગામી સીએમ બીજેપીના જ હશે. અજીત પવારે કહ્યું કે, મહાયુતિના સહયોગી પક્ષોમાંથી બે ડેપ્યુટી સીએમ હશે.બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મહાયુતિ બીજેપીના મુખ્યમંત્રી અને બાકીની બે પાર્ટીઓના નાયબ મુખ્યમંત્રીઓ સાથે મળીને સરકાર બનાવાશે.
જણાવી દઈએ કે, મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCP સામેલ છે. આ ગઠબંધને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવી છે.
ચૂંટણીમાં બીજેપી 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. શિવસેના અને એનસીપીએ 57 અને 41 બેઠકો જીતી છે. સરકારની રચનામાં વિલંબ થયો હતો અને આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અનિશ્ચિતતા હતી. પરંતુ હવે શપથગ્રહણની તારીખ આવી ગઈ છે.
શપથ ગ્રહણ વિશે વાત કરતા મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે.
જો કે, મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રો અનુસાર, દેવેન્દ્ર ફડણવીસ રેસમાં સૌથી આગળ છે. ફડણવીસ અગાઉ બે વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને એકનાથ શિંદેની અગાઉની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા.












Click it and Unblock the Notifications
