Maharashtra New Cm : બીજેપી સાથે બગાવત કરવાની તૈયારી કરી રહ્યાં છે એકનાથ શિંદે? NCP સાથે મળીને કરી શકે છે ગેમ?

Maharashtra New Cm : મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ પણ મુખ્યમંત્રીના નામની જાહેરાત નથી થઈ રહી છે. એકનાથ શિંદેની પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સીએમની જાહેરાત ન થતા ઘણી અટકળો લાગી રહી છે.

એક તરફ બીજેપી મુખ્યમંત્રીના નામ માટે મંથન કરી રહી તો બીજી તરફ એકનાથ શિંદે નારાજ હોવાના અહેવાલો વહેતા થયા છે.

Maharashtra New Cm

મહારાષ્ટ્રમાં સીએમના નામની જાહેરાત થાય તે પહેલા જ એકનાથ શિંદે અચાનક સતારા પહોંચ્યા છે. તેમના સતારા જવાના સમાચારોએ નારાજ હોવાની અટકળોને વેગ આપ્યો છે.

અહેવાલો એવા પણ આવી રહ્યાં છે કે એકનાથ શિંદે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની જેમ બગાવતનો રસ્તો અપનાવી શકે છે. સમાચારો એવા પણ છે કે શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડ સાથે પણ તેમને મુલાકાત કરી છે. જો કે આ મુલાકાત અંગત હોવાનું કહેવાયુ છે.

જિતેન્દ્ર આવ્હાડને મળ્યા બાદ એકનાથ શિંદે સતારામાં તેમના ગામ જવા રવાના થયા છે. તેઓ અહીં બે દિવસ રોકાશે. આ સ્થિતિમાં સરકારની રચનાને લઈને કોઈ બેઠક થવાની કોઈ શક્યતા નથી. બીજી તરફ શિંદે જૂથના ધારાસભ્ય ઉદય સામંતે કહ્યું કે એકનાથ શિંદે નારાજ નથી, તેમની તબિયત ઠીક નથી. એટલા માટે તે સતારા ગયા છે.

જો એકનાથ શિંદે બગાવત કરશે તો મહારાષ્ટ્રમાં બીજેપી ફરીથી 2019ની સ્થિતિમાં આવી જશે. ત્યારે પણ ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. જો કે, પરિણામો પછી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ વચ્ચે સીએમ પદને લઈને ઝઘડો શરૂ થયો.

ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે ચૂંટણી પહેલા અમિત શાહે તેમને 2.5-2.5 વર્ષ માટે સીએમ બનવાનું વચન આપ્યું હતું. જો કે, ભાજપે આવા કોઈ વચન આપવાનો ઈન્કાર કર્યો અને ગઠબંધન તુટી ગયુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X