Maharashtra New Cm : એકનાથ શિંદે કેમ નારાજ થયા? જાણો શું છે સતારા જવા પાછળનું સાચુ કારણ?
Maharashtra New Cm : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પણ બીજેપી માટે ટેન્શન ઓછુ નથી થઈ રહ્યું. અહેવાલો પર વિશ્વાસ કરીએ બીજેપી માટે ફરીથી વિકટ સ્થિતી સર્જાઈ રહી છે.
એક તરફ રાજ્યના નવા સીએમને લઈને રાહ જોવાઈ રહી છે તો બીજી તરફ કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે સતારા રવાના થઈ ગયા છે. તેમની મુંબઈમાં ગેરહાજરીએ ઘણા સવાલ ઉભા કર્યા છે.

233 સીટો પર જીત્યા બાદ મહાયુતિ ગઠબંધનમાં નવી સરકારના મંત્રાલયમાં વિભાગોની ફાળવણી અને મુખ્યમંત્રીની પસંદગી અંગે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે.
અમિત શાહ સાથે બેઠક યોજીને પરત ફરેલા એકનાથ શિંદે અચાનક સતારામાં તેમના ગામે રવાના થઈ ગયા છે. આ પછી બાદ અટકળો શરૂ થઈ હતી કે તે ગુસ્સે છે.
જણાવી દઈએ કે, ગુરુવારે અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટના વિભાજનને લઈને મહાયુતિના ત્રણ નેતાઓ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને બે કલાક બેઠક યોજી હતી.
આ બેઠક બાદ અપેક્ષાથી વિરૂદ્ધ હજુ પણ મહાયુતિની નવી સરકારની રચના અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બેઠકમાંથી પરત ફર્યા બાદ એકનાથ શિંદે સતારા પાસે આવેલા તેમના ગામ રવાના થઈ ગયા છે.
હવે શિવસેનાએ સ્પષ્ટતા કરી છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી વાતચીતથી અસંતુષ્ટ નથી, તે માત્ર અફવા છે. શિંદેની વતન સતારાની અચાનક મુલાકાત રાજકીય મડાગાંઠને કારણે નહીં પરંતુ તેમની માંદગીને કારણે હતી.
રાજ્યના આઉટગોઇંગ મિનિસ્ટર ઉદય સામંતે કહ્યું કે, તેઓ અસ્વસ્થ. એ કહેવું યોગ્ય નથી કે તેઓ ત્યાં ગયા કારણ કે તેઓ નારાજ છે. તેમણે કહ્યું હતું કે તેઓ રડશે નહીં પરંતુ રાજ્યના કલ્યાણ અને વિકાસ માટે લડશે.
ઉદય સામંતે કહ્યું કે, એકનાથ શિંદે ગઠબંધનમાં ચર્ચાના કેન્દ્રમાં છે, ખાસ કરીને નવી સરકારમાં તેમની ભૂમિકાને લઈને તેમના પદ અંગે અનિશ્ચિતતા હોવા છતાં શિંદે વાટાઘાટોમાં મુખ્ય વ્યક્તિ છે.
તેમણે મહારાષ્ટ્ર કેબિનેટને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવાની તેમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીને ચર્ચાઓ ચાલુ રાખવા માટે વિડિયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
