અજિત પવારનું શક્તિ પ્રદર્શન, પ્રફુલ પટેલે કહ્યું- અમારી પાસે 40થી વધું ધારાસભ્યોનું સમર્થન
Maharashtra Political Crisis : અજિત પવાર-પ્રફુલ પટેલ કેમ્પે બાંદ્રા ખાતે મુંબઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંકૂલમાં તેની બેઠક શરૂ કરી, NCP જૂથના નેતાઓએ દાવો કર્યો હતો કે, તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યો છે.
અજિત પવાર જૂથના એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે 40થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. જૂથના ચીફ વ્હીપ અનિલ પાટીલે પણ જણાવ્યું હતું કે, તેને NCPના 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.

છગન ભુજબળે કહ્યું હતું કે, અમારી પાસે પર્યાપ્ત સંખ્યા છે, તો સમર્થકોએ ચિંતા ન કરવાની જરૂર નથી. જેમણે અજિત પવાર સાથે NDAમાં જોડાવાની દિશા બદલી છે.
આ નિવેદનો ત્યારે સામે આવી રહ્યા છે, જ્યારે અજિત પવાર સ્થળ પર પહોંચ્યા અને ઉલ્લાસ અને સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન શરદ પવાર-સુપ્રિયા સુલે જૂથ, જેની બેઠક બપોરે 1 કલાકે શરૂ થાય છે, એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં સામેલ થયેલા બળવાખોર જૂથ કરતાં ઓછી સંખ્યા હોવાનું જણાય છે.
એક વરિષ્ઠ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, અમારી પાસે 12-13 ધારાસભ્યો છે અને તે આંકડો 14-15 પર પહોંચે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
