રાજકીય અસ્પૃશ્યતાને ગુનો ગણવો જોઇએ: અડવાણી

જલંધરમાં હિંદ સમાચાર સમૂહના વિજય કુમાર ચોપડા દ્રારા આયોજીત કરવામાં આવેલા 108મા શહિદ પરિવાર ફંડ વિતરણના સમારંભને સંબોધિત કરતાં અડવાણીએ કહ્યું હતું કે રાજકારણમાં પણ લોકો અસ્પૃશ્યતા રાખે છે. અમે લોકો જ્યારે સાથે બેસીએ છીએ ત્યારે કેટલાક લોકોને મોટી સમસ્યા ઉભી થાય છે. ઘણા લોકોએ મારી સાથે આવું કર્યું છે.
તેમણે કહ્યું હતું કે સમાજમાં અસ્પૃશ્યતાને કાનૂની માન્યતા નથી. અમારા સમાજમાં અસ્પૃશ્યતાને સામાજિક અને કાનૂની અપરાધ માનવામાં આવે છે. આ રીતે દેશમાં રાજકિય અસ્પૃશ્યતાને પણ ગૂનાની શ્રેણીમાં મૂકવો જોઇએ. જો કે કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું કે તે કયા સંદર્ભે રાજકિય અસ્પૃશ્યતાની વાત કરે છે ત્યારે અડવાણીએ કંઇપણ કહેવાની ના પાડી દિધી હતી.
આ પહેલાં તેમને આતંકવાદ વિરોધી સંઘર્ષમાં વિજય ચોપડા, તેમના શહીદ પિતા લાલા જગત નારાયણ અને શહીદ અગ્રજ રમેશ ચંદરની કલમના માધ્યમ વડે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ એક એવો મંચ છે જ્યાં રાજકારણ રમાવવું જોઇએ નહી. આ મંચ પર બધા એકસાથે બેસે છે.
-
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
વિધાનસભા ચૂંટણી પછી શક્તિશાળી અને નિર્ભય આસામ ઉભરી આવશેઃ ગૌરવ ગોગોઈ -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો










Click it and Unblock the Notifications
