મલ્લિકાર્જુન ખડગેએ વિવાદ છેડ્યો, કહ્યું- આઝાદીની લડાઈમાં બીજેપીનું કુતરુ પણ નથી મર્યુ
મલ્લિકાર્જુન ખડગેએ વિવાદીત નિવેદન આપતા કહ્યું કે, શું તમારા ઘરનો કોઈ કૂતરો પણ દેશ માટે મર્યો છે? શું તમારા પક્ષમાંથી કોઈએ બલિદાન આપ્યું છે?
નવી દિલ્હી : સાવરકરને લઈને કોંગ્રેસ અને બીજેપી સામસામે છે ત્યારે હવે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવો વિવાદ છેડ્યો છે. મલ્લિકાર્જૂન ખડગેએ બીજેપી પર મોટા પ્રહાર કર્યા હતા અને વિવાદીત નિવેદન આપ્યુ છે.

બીજેપી પર પર પ્રહાર કરતા કહ્યું કે, અમે દેશને આઝાદી અપાવી, ઈન્દિરા અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમારા પક્ષના નેતાઓએ જીવ આપ્યો, તમે શું કર્યું? શું તમારા ઘરમાં કોઈ દેશ માટે મર્યુ છે? શું કોઈ બલિદાન આપ્યું છે? નહીં.
મલ્લિકાર્જુન ખડગે આક્રમક જોવા મળ્યા હતા અને તેમણે આગળ કહ્યું કે, અમે દેશને આઝાદી અપાવી. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશની એકતા માટે પ્રાણનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીએ દેશની એકતા માટે પોતાનો જીવ આપ્યો. અમે આ બધું કર્યું છે. તેમણે દેશની એકતા માટે પોતાનો જીવ આપી દીધો. અમારા નેતાઓએ પોતાનો જીવ આપ્યો. ભાજપ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ અધ્યક્ષને પૂછ્યું કે, શું તમારા ઘરનો કોઈ કૂતરો પણ દેશ માટે મર્યો છે? શું તમારા પક્ષમાંથી કોઈએ બલિદાન આપ્યું છે?
#WATCH हमने देश को आज़ादी दिलाई और देश की एकता के लिए इंदिरा और राजीव गांधी ने अपनी जान की क़ुर्बानी दी। हमारे पार्टी के नेताओं ने अपनी जान दी, आपने क्या किया? आपके घर में कोई देश के लिए कुत्ता तक मरा है? क्या(किसी ने) कोई क़ुर्बानी दी है? नहीं:कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे pic.twitter.com/faoHQMGZM0
— ANI_HindiNews (@AHindinews) December 19, 2022
મલ્લિકાર્જુન ખડગેએ આગળ કહ્યું કે, અમે કંઈ પણ બોલીએ તો સવાલ ઉભા કરાય કે અમે દેશદ્રોહી છીએ. જો તે કંઈ પણ કહે તો તે દેશભક્ત છે. ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મિત્રો આ સમયે લોકશાહીની હાલત દયનીય છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાનના અલવરમાં આ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન પર ભાજપે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
