FDI મુદ્દે મમતાએ મનમોહનને આપ્યું 72 કલાક અલ્ટિમેટમ

કેન્દ્ર સરકારે 24 કલાકમાં મોટા ત્રણ નિર્ણયો લઇ મુસીબત નોંતરી લીધી છે. શુક્રવારે મલ્ટી બ્રાન્ડ માર્કેટમાં 51 ટકા રોકાણને મંજૂર આપી છે. સરકારે એરલાઇન્સ, પ્રસારણ અને પાવર એક્સચેંજમાં પણ એફડીઆઇને લીલી ઝંડી આપી છે. ડીઝલના ભાવવધારા અને રાંઘણગેસમાં કાપ મૂકાતાં ગુસ્સે ભરાયેલા તૃણમૂલ કોંગેસના નેતા મમતા બેનર્જીએ શુક્રવારે સરકારને 72 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવાનું અલ્ટિમેટમ આપી દીધું છે. મુકુલ રોયે સોનિયા ગાંધીના રાજકીય સલાહ સલાહકાર અહમદ પટેલ સાથે વાત કરીને મમતા બેનર્જીનો સંદેશો યુપીએ અધ્યક્ષ સુધી પહોંચાડ્યો હતો.
ડીએમકેના નેતા એમ કરૂણાનિધિએ પણ આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે ભાવવધારો કરતાં પહેલાં આ મુદ્દે ડીએમકે સાથે કોઇ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. કરૂણાનિધિએ સરકારના યુપીએની સંકલન સમિતિની બેઠક બોલાવવાની માંગણી કરી છે. મનમોહન સરકારને બહારથી સમર્થન પુરૂ પાડતી સમાજવાદી પાર્ટી અને જનતા દળે (એસ) પણ એફડીઆઇ અને ડીઝલ-ગેસ સિલિન્ડર મુદ્દે વિરોધ પ્રગટ કર્યો છે.












Click it and Unblock the Notifications
