મમતા બેનર્જીમાં પીએમ બનવાની ક્ષમતા છે-અમર્ત્ય સેન
નોબેલ વિજેતા અર્મત્યસેનનું એક મોટુ નિવેદન સામે આવ્યુ છે. અર્મત્ય સેને જણાવ્યુ છે કે, મમતા બેનર્જીમાં આગળના પીએમ બનવાની ક્ષમતા છે.
નવી દિલ્હી : 2024 લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીઓ તૈયારી કરી રહી છે ત્યારે હવે નોબેલ વિજેતા અર્મત્યસેનનું એક મોટુ નિવેદન સામે આવ્યુ છે. અમર્ત્ય સેને જણાવ્યુ છે કે, મમતા બેનર્જીમાં આગળના પીએમ બનવાની ક્ષમતા છે. અમર્ત્ય સેને કહ્યું કે, જો 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને હરાવવું હોય તો વિરોધ પક્ષોએ મમતા બેનર્જીને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રમોટ કરવા જોઈએ.

અમર્ત્ય સેને કહ્યું કે, મમતા બેનર્જી વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે મમતા પાસે પ્રાદેશિક જૂથવાદને ખતમ કરવા સાથે નેતૃત્વ કરવાની ક્ષમતા છે. અહીં અમર્ત્ય સેને બીજેપી પર પ્રહારો કર્યા હતા અને ભારતના વિઝનમાં ભારે ઘટાડો કરવાનો આરોપ લગાવ્યો હતો.
અમર્ત્ય સેને કહ્યું કે, ભાજપે માત્ર હિંદુ ભારત અને હિન્દીભાષી ભારત તરીકે ભારતની સમજને સંકુચિત કરી છે. આ પછી પણ જો આજે દેશમાં ભાજપનો કોઈ વિકલ્પ નથી તો તે દુઃખની વાત છે. તેમણેે આગળ કહ્યું કે, જો જૂની પાર્ટી શક્તિશાળી દેખાઈ રહી છે તો તેની પણ ઘણી નબળાઈઓ છે. આ નબળાઈઓનો ઉપયોગ પ્રાદેશિક પક્ષો કરી શકે છે.
આ પહેલા પણ અમર્ત્ય સેન નિવેદનો આપતા રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે, ડીએમકે સિવાય મમતા બેનર્જીની ટીએમસી પણ મહત્વપૂર્ણ છે. જો કે સમાજવાદી પાર્ટીનું થોડું સ્ટેન્ડ છે પણ તેને વધારી શકાય કે કેમ તે મને ખબર નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ નબળી છે પરંતુ માત્ર સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ જ સમગ્ર દેશને વિઝન બતાવી શકે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
