ભાવ વધારાથી મમતા બેનર્જી નારાજ, યોજશે રેલી

આ અગાઉ જ્યારે સરકારે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો હતો ત્યારે મમતા બેનર્જીએ સરકારને ઠપકો આપ્યો હતો. અને આ ઉપરાંત પોતાના ખાસ પૂર્વ રેલ્વે મંત્રી દિનેશ ત્રિવેદીની ખુરશી છીનવી લીધી હતી. તેનું એક જ કારણ હતું કે તેમના રેલ્વેમંત્રીએ રેલ્વે બજેટમાં રેલ્વેભાડામાં વધારો કર્યો હતો. મમતા બેનર્જીના કારણે જ
સ્લીપર ક્લાસમાં ભાડામાં કરેલા ભાવવધારાને પાછો ખેંચવામાં આવ્યો હતો. ફરી એકવાર મમતા બેનર્જીના ગુસ્સે ભરાયા છે ત્યારે યુપીએ સરકાર દબાણ ઉભું થયું છે. જો કે હાલમાં તો સરકાર ભાવવધારાને પાછો ખેંચવાના મૂડમાં નથી.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે રાત્રે વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના કેબિનેટે આ મોટો નિર્ણય લીધો છે. ડીઝલ પાંચ રૂપિયા મોંધું થયું છે જ્યારે રાંધણગેસ 6 સિલિન્ડર સુધી જ સસ્તુ મળશે. સાતમા સિલિન્ડર માટે બજારભાવ ચૂકવવો પડશે.












Click it and Unblock the Notifications
