Mahakumbh 2025: મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વરના પદ પરથી રાજીનામું, કહ્યું, 'સાધ્વી છું અને રહીશ'
મમતા કુલકર્ણીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પોતાનું પિંડદાન કર્યું હતું. આ પછી કિન્નર અખાડાએ તેમને મહામંડલેશ્વરનું પદ આપ્યું. જોકે, આ પછી ઘણો વિવાદ થયો હતો. હવે મમતાએ તેમના કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપી દીધું છે.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સતત વિવાદ અને ટ્રોલિંગ બાદ મમતાએ આ નિર્ણય લીધો છે. કિન્નર અખાડાના સ્થાપકે તેમને અખાડામાંથી હાંકી કાઢ્યા હતા. જો કે, પદ પરથી રાજીનામું આપતાં મમતાએ કહ્યું કે, હું કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપી રહી છું. હું છેલ્લા 25 વર્ષથી સાધ્વી છું અને ભવિષ્યમાં પણ રહીશ.

25 વર્ષ પહેલા ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો
મમતાએ આગળ કહ્યું કે, મને મળેલું મહામંડલેશ્વરનું સન્માન ખૂબ જ મોટું સન્માન છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ 25 વર્ષથી સ્વિમિંગ કરે છે, તો તેને હવેથી સ્વિમિંગ શીખવા આવતા બાળકોને સ્વિમિંગનું જ્ઞાન આપવાનું કહેવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોએ આનો વિરોધ કર્યો. મેં 25 વર્ષ પહેલાં ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો હતો. મેં મારી જાતને દૂર રાખી, નહીં તો કલ્પના કરો કે કોઈ મેકઅપ અને બોલીવુડથી દૂર રહે છે. મારી વસ્તુઓ જોયા પછી દરેકની પ્રતિક્રિયા એ હોય છે કે હું આ કેમ કરી રહ્યી છું. હું એવું કેમ કરું?
2000 બાદ ગ્લેમરસ જીવન છોડી દીધુ
સંન્યાસ લીધા પછી મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે તે તેમના ગુરુની સલાહ પર આમ કરી રહી છે. આ તેમની 12 વર્ષની તપસ્યાનું પરિણામ છે. તે દુન્યવી આસક્તિઓથી ઉપર ઉઠી ગઈ છે. 1966મા તેણી ગુરુ ગગન ગિરિ મહારાજને મળી, ત્યારબાદ તેણીનું આધ્યાત્મિકતા પ્રત્યે આકર્ષણ વધ્યું અને તેણીની તપસ્યા શરૂ થઈ. તેણીએ 2000માં બોલીવુડ અને તેણીના ગ્લેમરસ જીવનને છોડી દીધું.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
