For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલને મળવા આવેલા યુવકે પોતાને લગાવી આગ

|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવી દિલ્હી, 3 એપ્રિલ: દિલ્હીમાં વીજળી અને પાણીના ભાવ વધારના વિરોધમાં અનશન પર ઉતરેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના અનશનના સ્થાને એક સામાન્ય માણસે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાની કોશીશ કરી. જેના પગલે આ અજાણ્યા વ્યક્તિની હાલત ગંભીર જણાવવામાં આવે છે.

આ વ્યક્તિને હાલમાં સારવાર માટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના અનુસાર વિજયકુમાર નામની આ વ્યક્તિ અરવિંદ કેજરીવાલને મળવા આવ્યો હતો. પરંતુ થોડીવારમાં તેણે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આગ લગાવી લીધી. ઘટનાસ્થળે હાજર લોકોએ વિજય પર લાગેલી આગને બુજાવી દીધી.

ઘણી ઝહેમત બાદ વિજય પર લાગેલી આગને ઓલવવામાં આવી જોકે આગ ઓલવાતી એ પહેલા વિજય ગંભીર રીતે દાજી ગયો હતો. વિજયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે તેણે આ પગલું શા માટે ભર્યું તેની જાણ થઇ શકી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છેલ્લા 12 દિવસથી અનશન પર બેઠા છે. તેમણે આ ઘટના અંગે હજી સુધી કોઇ નિવેદન આપ્યું નથી. જોકે તેમણે એવો અણસાર આપ્યો છે કે 6 એપ્રિલના રોજ ઐતિહાસિક દિવસ બની રહેશે.

English summary
A man burned self by kerosene at Arvind Kejriwal Fasting place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X