Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેજરીવાલને મળવા આવેલા યુવકે પોતાને લગાવી આગ

arvind kejriwal
નવી દિલ્હી, 3 એપ્રિલ: દિલ્હીમાં વીજળી અને પાણીના ભાવ વધારના વિરોધમાં અનશન પર ઉતરેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના અનશનના સ્થાને એક સામાન્ય માણસે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાની કોશીશ કરી. જેના પગલે આ અજાણ્યા વ્યક્તિની હાલત ગંભીર જણાવવામાં આવે છે.

આ વ્યક્તિને હાલમાં સારવાર માટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના અનુસાર વિજયકુમાર નામની આ વ્યક્તિ અરવિંદ કેજરીવાલને મળવા આવ્યો હતો. પરંતુ થોડીવારમાં તેણે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આગ લગાવી લીધી. ઘટનાસ્થળે હાજર લોકોએ વિજય પર લાગેલી આગને બુજાવી દીધી.

ઘણી ઝહેમત બાદ વિજય પર લાગેલી આગને ઓલવવામાં આવી જોકે આગ ઓલવાતી એ પહેલા વિજય ગંભીર રીતે દાજી ગયો હતો. વિજયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે તેણે આ પગલું શા માટે ભર્યું તેની જાણ થઇ શકી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છેલ્લા 12 દિવસથી અનશન પર બેઠા છે. તેમણે આ ઘટના અંગે હજી સુધી કોઇ નિવેદન આપ્યું નથી. જોકે તેમણે એવો અણસાર આપ્યો છે કે 6 એપ્રિલના રોજ ઐતિહાસિક દિવસ બની રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X