લો બોલો, પકોડા માટે જમાઈએ કરી સાસુની કરપીણ હત્યા
પકોડા બન્યું હત્યાનું કારણ, જમાઈની ધરપકડ
નવી દિલ્હીઃ લગ્ન બાદ સાસુ જ્યારે પોતાનાં બાળકોને લઈને જમાઈને ત્યાં રહેવા આવી તો ઘરનું બજેટ ખોરવાઈ ગયું, આ વાતથી નારાજ જમાઈએ સાસુની કરપીણ હત્યા કરી નાખી. આ ઘટના દિલ્હીના કેશવપુરના રામપુરા વિસ્તારમાં બની, જ્યાં 21મી જૂને જમાઈએ પોતાની સાસુ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. હત્યા બાદ નૉર્થ વેસ્ટ સ્પેશિયલ સ્ટાફે આરોપી જમાઈની ધરપકડ કરી લીધી છે.

ઘરના માહોલથી નારાજ હતો
જાણકારી મુજબ આરોપીનું નામ અફરોઝ છે અને તે ઉત્તર પ્રદેશના ગાજીપુર ગામ બદેસરાનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે જ્યારે પણ તે ઘરે પહોંચતો હતો ત્યારે એના ઘરનો માહોલ જોઈને તે ગુસ્સે થઈ જતો હતો. આરોપીએ કહ્યું કે ઘરે પત્ની તેની મા અને બહેનો સાથે આરામથી રહેવા લાગી અને મારી ચિંતા પણ નહોતી કરતી. ડીસીપી અસલમ ખાને જણાવ્યું કે એસટીએફના ઈન્સ્પેક્ટર સતવિંદર રાણા, એસઆઈ આનંદ સિંહ, હેડ કોન્સ્ટેબલ વિકાસ અને કોન્સ્ટેબલ રાહુલની ટીમે આરોપીની ધરપકડ કરી લીધી.

વધુ પડતા ખર્ચને કારણે તણાવ
એક વર્ષ પહેલા અફરોઝ સાથે શાહિસ્તાના લગ્ન થયાં હતાં અને તે ગર્ભવતી હતી. અફરોઝ જૂતાં-ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં કામ કરતો હતો. શાહિસ્તાની મા અને બહેનો એક દિવસ અફરોઝના ઘરે રહેવા માટે આવી ગયાં. જે બાદ અફરોઝ અને એની પત્ની વચ્ચે સતત મતભેદો થવા લાગ્યા અને બંનેએ વાતચીત કરવાનું પણ ઘટાડી દીધું. એક દિવસ જ્યારે શાહિસ્તાએ પોતાની માતા અને બહેનો માટે પકોડા બનાવ્યા હતા ત્યારે આ વાતને લઈને જ અફરોઝ અને શાહિસ્તા વચ્ચે ઝઘડો થઈ ગયો.

પકોડાના કારણે થયો વિવાદ
વાત એમ હતી કે અફરોઝ માટે પકોડા ઓછા રાખ્યા હતા અને તે ઠંડા થઈ ગયા હતા, આ વાતને લઈને બંને વચ્ચે વિવાદ થયો. આ દરમિયાન જ્યારે ઝઘડો અટકાવવા માટે સાસુ વચ્ચે પડ્યાં ત્યારે આરોપીએ ચાકુથી પોતાની સાસુ પર હુમલો કરી દીધો, એટલું જ નહિ પણ જ્યારે પત્ની શાહિસ્તાએ તેને રોકવાની કોશિશ કરી તો તેણે શાહિસ્તાના પેટમાં પણ ચાકુ ભોંકી દીધું અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. 3 મહિના બાદ પોલીસે આરોપીને દબોચી લીધો છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
