ધર્મ નહીં બદલનાર પત્નીને મારી 100 વાર બ્લેડ
પોલીસનું કહેવું છે કે 21 વર્ષીય પીડિતા ગત અઠવાડિયે જેમ-તેમ કરીને આ અપરાધીના ચંગુલમાંથી છૂટવામાં સફળ રહી અને તેણે મુલુંડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ઉસ્મા અકબર બાદશાહ ઉર્ફે પાશાની આઇપીસીની અનેક કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પાશાએ સ્વિકાર કર્યો છેકે તેના પિતા 1993 મુંબઇ બોમ્બ વિસ્ફોટના આરોપી રહ્યાં છે અને તેના પર 16 અપરાધિક મામલા દાખલ છે. પોલીસ અનુસાર, પાશા સેવરીના આદમજી જિવાજી ચોલમાં રહે છે, જ્યારે પીડિતા ઉપનગરી વિસ્તાર મુલુંડમાં રહે છે.
પાશાએ ચાલું વર્ષે જ ફેબ્રુઆરીમાં પોતાને એક વ્યવસાયિક બતાવી યુવતી સાથે મિત્રતા કરી અને બાદમાં બાંદ્રા પરિવાર અદાલતમાં બન્નેએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ પાશા યુવતી પર ધર્મ બદલવા માટે દબાણ કરી તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા, તેને ત્રાસ આપવા લાગ્યો.
યુવતીને જ્યારે લાગ્યું કે તેની સાથે દગો કરવામાં આવ્યો છે, તો તેણે મુલુંડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને પાશાને ધર્મ અનુસાર છૂટાછેડા આપ્યા. જોકે, પોલીસનું કહેવું છે કે બન્નેએ કોઇ કાયદાકીય રીતે છૂટાછેડા લીધા નથી.
થોડાક દિવસ બાદ પાશાએ યુવતી સાથે સુલેહ કરવા અને સાથે રહેવા આગ્રહ કર્યો, પરંતુ તેણે ઇન્કાર કરી દીધો. પોલીસનું કહેવું છે કે ગત 17 જુને જ્યારે પીડિતા એક મોલ તરફ જઇ રહી હતી તો પાશાએ તેનું અપહરણ કરી લીધુ અને પોતાના ઘરે લઇ ગયો. તેણે તેને અનેક દિવસો સુધી પોતાની પાસે રાખ્યું અને યાતનાઓ આપી. ત્યારબાદ બ્લેડથી મહિલાને 100 વખત ઇજા પહોંચાડી.
ગત 26 જૂને યુવતી ભાગી નીકળવામાં સફળ રહી અને તેણે પોલીસ મથકમાં પાશા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી. આરોપીની ધરપકડ કરી મામલાની તપાસ કરવામાં આવી રહી છે.