કેરળમાં હતી શ્રીલંકા જેવા આત્મઘાતી હુમલાને અંજામ આપવાની તૈયારી
સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ કેરળના એક 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ કેરળના એક 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ 21 એપ્રિલના રોજ શ્રીલંકાની જેમ જ આત્મઘાતી હુમલાની યોજના બનાવવામાં આવી હતી. આ શંકાસ્પદ વ્યક્તિનું નામ રિયાસ છે અને તેને રિયાસ અબુબકર અને અબુ દુજાનાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વ્યક્તિને મંગળવારે કોચ્ચિ સ્થિત એનઆઈએની કોર્ટમાં હાજર કરવામાં આવશે.

જાહરાનથી પ્રેરિત હતો રિયાસ
આ આરોપીએ એ વાત સ્વીકારી છે કે તે નેશનલ તોહીદ જમાત (એનટીજે) ના પ્રમુખ જાહરાન હાશિમથી પ્રેરિત હતો. જાહરાન ઈસ્ટર સન્ડેના પ્રસંગે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયેલા આઠ સુસાઈડ એટેક્સનો માસ્ટરમાઈન્ડ હતો. શ્રીલંકન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ હુમલામાં હાશિમ માર્યો ગયો છે. એનઆઈએના એક સીનિયર અધિકારી તરફથી જણાવવામા આવ્યુ છે કે રિયાસ છેલ્લા એક વર્ષથી હાશિમ અને જાકિર નાઈકના વીડિયોઝ અને તેમના ભાષણ સાંભળતો હતો. અધિકારીઓની માનીએ તો આ વાત એથી પણ વધુ ચોંકાવનારી છે કે રિયાસ કેરળમાં આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. રિયાસે પૂછપરછમાં જણાવ્યુ છે કે તે અબ્દુલ રાશિદ અબ્દુલ્લા સાથે સંપર્કમાં હતો અને તેની ઑડિયો ક્લિપ્સને ફોલો કરી રહ્યો હતો. આમાંથી એક તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ઑડિયો ક્લિપમાં તેણે બાકીના લોકોને અપીલ કરી હતી કે ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવામાં આવે. રાશિદ અબ્દુલ્લા ગાયબ છે અને તેની શોધ ચાલુ છે.
સીરિયામાં છે એક આરોપી
રિયાસે એ પણ જણાવ્યુ કે તે અબ્દુલ કયુમ સાથે પણ સંપર્કમાં હતો કે જે વાલાપટ્ટનમ આઈએસઆઈએસનો આરોપી છે. માનવામાં આવે છે કે કયુમ હાલમાં સીરિયામાં છે. રિયાસે એ દાવો પણ કર્યો છે કે તેણે મોડ્યુલના બીજા સભ્યોને કહ્યુ હતુ કે તે હાશિમને સાંભળ્યા કરે. એનઆઈએના સૂત્રો મુજબ રિયાસ તમિલ ભાષાનો જાણકાર છે અને આના કારણે તે સરળતાથી હાશિમની સ્પીચ અને તેના વીડિયોઝને ફોલો કરતો હતો. તે બીજા લોકોને વિશ્વાસમાં ન લઈ શક્યો કારણકે તેમને તમિલ નહોતી આવડતી. વળી વધુ એક અધિકારીની માનીએ તો રિયાસ પાસેથી એ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે કેરળમાં કયા ટાર્ગેટ્સ હતા જે તેણે પસંદ કર્યા હતા. રવિવારે એનઆઈએના ત્રણ શંકાસ્પદના ઘરે છાપા માર્યાહતા જેમાંથી બેના ઘરે કસારગોડમાં હતા તો એકનું ઘર પાલાક્કડ જિલ્લામાં હતુ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
