પેરિસ આતંકી હુમલા પર આ શું બોલી ગયા મણિશંકર અય્યર
નવી દિલ્હી, 9 જાન્યુઆરી: હાલમાં આખી દુનિયા પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાથી દુ:ખી છે, લોકો પેરિસની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આપણા દેશના કેટલાંક લોકો એવા છે જેમણે પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરની, જેમણે ગુરુવારે એવું વાંધાજનક નિવેદન આપ્યું જેણે સૌને ચોંકાવી દીધા.
કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરે જણાવ્યું કે જો અમેરિકા આખી દુનિયામાં ડ્રોન હુમલો કરે તો કોઇને કોઇને તો ભોગવવું જ પડશે, આખરે ક્યાં સુધી લોકો ચુપ બેસશે. એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરે જણાવ્યું કે ફ્રાંસમાં મુસ્લિમ મહિલાઓને બુરખો પહેરવા પર મનાઇ છે. તો સ્વાભાવિક છે કે લોકોનો રોષ ભડકશે જ, તો પણ તેમણે જણાવ્યું કે અન્ય દેશોએ ભારત પાસેથી એકતાના પાઠ શીખવા જોઇએ.

આ જઘન્ય અપરાધને અંજામ આપનારા બે બંધૂકધારીઓને કથિત રીતે ઉત્તરી ફ્રાંસમાં જોવામાં આવ્યા છે, જ્યારે ત્રીજાએ આત્મસમર્પણ કરી દીધું છે. આ ત્રાસવાદી હુમલા બાદ ફ્રાંસમાં શોકનો માહોલ છવાયો છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
